આજ કાલ પ્રાકૃતિક કૃષિ વિશે ઘણું બધું જાણવા -સાંભળવા મળે છે.સાથે જ તેમના મહત્વના તારણો પણ આપ્યા છે. જેમાં જળ, જંગલ, જન, જાનવર અને જમીન વગેરેનું શરક્ષણ અને સંવર્ધન પ્રાકૃતિક કૃષિ થકી ખુબ સારી રીતે થાય છે. તેમજ આપણે સૌ આજે જોઈ રહ્યા છીએ કે માનવ સ્વાસ્થ્ય ખુબ જોખમમા છે.કારણકે આજે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીશ જેવા ભંયકર રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ બધા માંથી બચવાનો એક માત્ર ઉપાય છે. પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાક, તથા એમને રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી ની તુલના કરતો અભ્યાસ લોકભારતી સણોસરા ના અધ્યાપકે કર્યો હતો. જેમાં મુખ્ય બાબત એ સામે આવી હતી કે, પ્રાકૃતિક કૃષિ માં ખુબ ઓછો ખર્ચ થાય છે.
જયારે રાસાયણિક ખેતી પાછળ ખુબ વધારે ખર્ચ થતો જણાયો હતો. અને સામાજિક રીતે પણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રતિષ્ઠા વધી છે. ઘણા બધા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું તેમજ તેમની પાસેથી બીજા ખેડૂતો પ્રેરણા લેતા થયા. જે રાસાયણિક ખેતીમાં જોવા મળ્યું નં હતું. આમ એમના તારણો પરથી કઈ શકાય કે, પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે.અને પ્રાકૃતિક કૃષિ થકી જ ખેડૂત આત્મનિર્ભર બનશે. અને ખેડૂત થકી દેશ આત્મનિર્ભર બનશે. એમાં કોઈ શંકા નથી. આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ક્રાંતિ કરીએ અને ભારતને વધુ ગૌરવશાળી બનાવીએ એવો સંદેશ તેમના સંશોધન થી મળે છે.મોટા આસોટા તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકાના વતની અને હાલ લોકભારતી યુનિવર્સીટી સણોસરા (ભાવનગર) માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. વીરાભાઇ ભીમશીભાઈ ચાવડા એ પોતાનું Ph. D. પૂર્ણ કર્યું. તેઓએ માત્ર 28 વર્ષની નાની ઉંમરે ડોકટેરેટની પદવી પ્રાપ્ત કરી છે.
સમગ્ર ગુજરાતમાં પ્રથમ “પ્રાકૃતિક કૃષિ “વિષય પર Ph. D. કરનાર બન્યા છે.તેમણે ‘પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખેતી વિષયનો તુલનાત્મક અભ્યાસ ‘ વિષય પર ડોકટેરેટની પદવી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટમાં ડો. કમલેશભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આવતાં સમયની માંગ મુજબ ડૉ ચાવડાનું આ અભ્યાસપૂર્ણ સંશોધન ઉપયોગી અને માર્ગદર્શક નીવડશે.
Recent Comments