સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છેલ્લા તોકતે વાવાઝોડા દરમિયાન છત ઉઠી ગયેલ. હજુ સુધી તોકતે વાવાઝોડાને પણ બે વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં એ છત ગઈ તે ગઈ.. હાલ તો લોકો વરસાદ હોય ટાઢ હોય કે કાળો તડકો હોય એ ખુલ્લી છત નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવતાં જોવા મળે છે. જો છત હોય તો શાંતિથી ખાસકરીને લાઈન હોય ત્યારે પ્રતિકૂળ વાતાવરણમાં લોકોને આ પેટ્રોલપંપે ઈંધણ ભરાવતા સમયે થોડી રાહત રહે. તો આ સંદર્ભે યોગ્ય વ્યવસ્થા થાય તેવું અહીં ઈંધણ પુરાવતાં વાહનચાલકો ઇચ્છી રહ્યા છે.
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છત તોકતે વાવાઝોડામાં ઉડી તે ઉડી. હાલ પણ આ પેટ્રોલપંપે છત ન હોય લોકો ખુલ્લા આકાશ નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા મજબૂર.

Recent Comments