શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા શ્રી મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે એક નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત આયુર્વેદિક ડો. સંદીપ કવા અને તેમની ટીમ દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવેલ. આ કેમ્પમાં ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ગેસ, એસીડીટી, કબજીયાત, નિઃસંતાનપણું, શુક્રાણુઓની કમી, બીપી, ડાયાબીટીસ, માનસિક તણાવ, અનિંદ્રા જેવા અનેક પ્રકારના રોગો ના નિઃશુલ્ક નિદાન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૧૫૫ લાભાર્થીઓએ લાભ લીધેલ. તમામ લાભાર્થીઓને નિદાન કરી અને દવા નિઃશુલ્ક આપવામાં આવેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી શાસ્ત્રી દીપકભાઈ પ્રતાપ ત્રિવેદી, રાજુભાઈ ગૌતમ લાલ ત્રિવેદી,જગદીશભાઈ ઓઝા અને જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનોએ ઉમદા સાથ-સહકાર આપેલ.
શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પ કરવામાં આવ્યો.

















Recent Comments