અમરેલી

જિલ્લાના દિવ્યાંગ મતદારોના પ્રશ્નો, સમસ્યાના ઉકેલ માટે દિવ્યાંગ મતદાર હેલ્પલાઈન નંબર (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ કાર્યરત

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં જિલ્લાના દિવ્યાંગ મતદારોની સહભાગિતા વધે, તેમના પ્રશ્નો, સમસ્યાના ઉકેલ માટે દિવ્યાંગ મતદાતાઓ માટેના નોડલ અને અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી દિવ્યાંગ મતદારોને મતદાન માટેની સગવડો મળી રહે તે માટે કાર્યરત છે.  અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન તેમજ સૂચનાથી અમરેલી જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન કાર્યરત છે. જિલ્લાના દિવ્યાંગ મતદારો કચેરી સમય દરમિયાન ટેલિફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ પર સંપર્ક કરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે, તેમ દિવ્યાંગ મતદાતાઓના નોડલ અને અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts