નેપાળમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. નેપાળમાં ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (દ્ગડ્ઢઇસ્છ) તરફથી મળેલી માહિતી અનુસાર, ૧૪ લોકોમાંથી ૮ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચ લોકો વીજળી પડવાને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. દ્ગડ્ઢઇસ્છ ના પ્રવક્તા દીજન ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે તેઓએ ૨૬ જૂને કુલ ૪૪ ઘટનાઓ નોંધી હતી, જેમાંથી ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં હજુ બે લોકો લાપતા છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર, દેશમાં ચોમાસું સક્રિય થયા બાદ ૩૩ જિલ્લા પ્રભાવિત થયા છે, જેમાં ૧૪૭ ઘટનાઓ નોંધાઈ છે.
મંત્રાલયના રેકોર્ડ મુજબ, છેલ્લા ૧૭ દિવસમાં કુલ ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓછામાં ઓછા ૧૩ લોકો વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૪ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર નેપાળ પહોંચી ગયું છે અને દેશમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક પણ ઘણો ઊંચો છે. સરકારે અનુમાન લગાવ્યું છે કે ચોમાસા દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓથી ૧.૮ મિલિયન લોકો પ્રભાવિત થઈ શકે છે. નેપાળમાં દર વર્ષે હજારો લોકો પૂરથી પ્રભાવિત થાય છે, જ્યારે ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો વિસ્થાપિત થાય છે. નેપાળમાં ચોમાસું ૧૩ જૂનથી શરૂ થાય છે અને લગભગ ત્રણ મહિના સુધી સક્રિય રહે છે. આ કિસ્સામાં તે ૨૩ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. ગયા વર્ષે, તે સામાન્ય શરૂઆતના દિવસથી એક દિવસ મોડું એટલે કે ૧૪ જૂને શરૂ થયું હતું.
Recent Comments