fbpx
રાષ્ટ્રીય

આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણમણિપુરમાં હિંસા યથાવત, બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા યથાવતમણિપુરમાં રવિવારે ફરી હિંસાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રથમ એન્કાઉન્ટર અને બીજાે વિસ્ફોટ થયો છે. મણિપુરના તેંગનોપલ જિલ્લામાં યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (ેંદ્ભન્હ્લ)ના આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો,

જેમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક ેંદ્ભન્હ્લ આતંકવાદી અને ત્રણ ગ્રામીણ સ્વયંસેવકો હોવાનું કહેવાય છે. તમામ મૃતકો એક જ સમુદાયના છે. ઘટના પછી, કુકી સમુદાયના સભ્યોએ વિરોધ કર્યો, તેમના સમુદાયના સભ્યોના મૃત્યુ પર ગુસ્સે થયા. કુકી સમુદાયના સમર્થકોએ યુકેએલએફના પ્રમુખ એસએસ હોકીપના ઘરને આગ ચાંપી હતી. જેના કારણે વિસ્તારમાં વધુ તણાવ સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જાેકે પોલીસે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

રવિવારે પોલીસ અહેવાલ મુજબ, મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સૈકુલના ભૂતપૂર્વ ધારાસભ્ય યામથોંગ હાઓકિપની પત્ની ચારુબાલા હાઓકીપનું તેમના નિવાસસ્થાને બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું. ચારુબાલા હાઓકીપ (૫૯), મેઇતેઈ સમુદાયના સભ્ય, કુકી-ઝોમીના પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લામાં એકાઉ મુલામમાં રહેતા હતા. તેમના પતિ, યુમથોંગ હાઓકિપ, ૨૦૧૨ અને ૨૦૧૭ માં કોંગ્રેસ પક્ષમાંથી સૈકુલ બેઠક પરથી ચૂંટાયા હતા અને પછીથી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાેડાયા હતા.

કાંગપોકપી જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તેની જાણ બીજા રવિવારે સવારે થઈ હતી. તેણે ખુલાસો કર્યો કે ૈંઈડ્ઢ ઘરના કચરાપેટીમાં છુપાયેલું હતું. તેમણે કહ્યું કે જ્યારે ઉપકરણને કચરામાં સળગાવવામાં આવી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. રવિવાર સવાર સુધી આ ઘટના સંદર્ભે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ પારિવારિક વિવાદને કારણે થયો હોઈ શકે છે. તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય દ્વારા તેમના કાકાના પૌત્રની મિલકતને અડીને આવેલી જમીન ખરીદવાને કારણે વિવાદ થયો હતો. આ ઘટના તે વિવાદ સાથે સંબંધિત હોઈ શકે છે અને અમે હાલમાં તેની તપાસ કરી રહ્યા છીએ. આ ઘટનાઓએ મણિપુરમાં ઇમ્ફાલ ખીણના મેઇતેઇ સમુદાય અને પહાડી વિસ્તારોના કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો કર્યો છે.

Follow Me:

Related Posts