પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ૭ લોકો ડૂબ્યા, એક જ કુટુંબના ૪ લોકો મોત પામ્યા
ગણેશ વિસર્જન દરમિયાન પાંચથી વધુ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પાટણથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન પાંચથી વધુ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા પાટણ ફાયર બ્રિગેડ, પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ તેમજ શોધખોળ હાથ ધરી છે.ડૂબવાના બનાવ માં એક મહિલા તેમજ બે બાળકોનો સમાવેશ. તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જ્યારે એક જ કુટુંબના ૪નાં મોત છે. શહેરના સાકુંતલ ગ્રીન સીટી સોસાયટીના ગણેશ ભક્તો હોવાનું સામે આવ્યું છે. મેલડી માતાના મંદિર નજીક પાણી ભરેલ ખાડામાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન દરમ્યાન પાંચથી વધુ વ્યક્તિઓ ડૂબ્યાની આશંકા છે.ઘટના બાદ સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. જેમાં સાતમાંથી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
Recent Comments