રાષ્ટ્રીય

ફ્રીબીઝ પર નવી અરજી, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો

મફતને લઈને દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફતમાં આપવામાં આવેલા વચનને લાંચ તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ (ઈઝ્રૈં)ને નોટિસ પાઠવી છે. અરજીમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે ચૂંટણી પંચે આવા વચનોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ. તેમજ કોર્ટે આ અરજીને મૂળ અરજી સાથે જાેડી દીધી હતી. આ પહેલા ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે અરજી દાખલ કરી હતી.

ઘણી પાર્ટીઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મફત માલ આપવાનું વચન આપે છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જાેકે હવે ફ્રીબીઝને લઈને નવી પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અંગે કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય પક્ષો ચૂંટણી પહેલા જનતાને જે મફત યોજનાઓનું વચન આપે છે તેને લાંચ તરીકે જાહેર કરવામાં આવે. તેમજ મતદારોને રોકડ આપવા અંગે આપેલા વચનો પર કાર્યવાહી થવી જાેઈએ. તેમજ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે ચૂંટણી પહેલા આવી મફત યોજનાઓની જાહેરાત પર પ્રતિબંધ મુકવો જાેઈએ.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે બેંગલુરુના રહેવાસી શશાંક જે શ્રીધરની અરજી પર સુનાવણી કરી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “મફત યોજનાઓના વચનોથી સરકારી તિજાેરી પર અગણિત નાણાકીય બોજ પડે છે. અગાઉ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ ફ્રીબીઝ અંગે અરજી દાખલ કરી હતી. ઉપાધ્યાયે અરજીમાં કહ્યું હતું કે મત મેળવવા માટે મફત આપવા પર પ્રતિબંધ મૂકવો જાેઈએ કારણ કે તે બંધારણનું ઉલ્લંઘન કરે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પહેલા મતદારોને રોકડ આપવાનું વચન તેમને પ્રભાવિત કરે છે અને ચૂંટણીની અખંડિતતાને બગાડે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આને ટાળવું જાેઈએ.

Related Posts