એક સમયે કાશ્મીર મુદ્દે મનમોહન સિંહ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે થયા હતા ગુપ્ત સમજૂતી કરાર ?… જાણો
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ સાથે તેમની સાથે જાેડાયેલ ઘણા કિસ્સાઓને યાદ કરવામાં આવી રહ્યા છે. કાશ્મીર મુદ્દો પણ તેમાંનો એક છે. ૨૦૧૧ માં, વિકિલીક્સના અહેવાલમાં જણાવાયું હતું કે, ડૉ. મનમોહન સિંહ અને પાકિસ્તાનના તે સમયના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ “બેક ચેનલ” મારફતે કાશ્મીરના બિન-પ્રાદેશિક ઉકેલ પર સંમત થયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ગુપ્ત વાતચીત પણ થઈ હોવાનો વિકિલીક્સના એ અહેવાલમાં ખુલાસો થવા પામ્યો હતો. અમેરિકાના દૂતાવાસના કેબલે કહ્યું કે, અમે બેક ચેનલ મારફતે કાશ્મીર મુદ્દે એક કરાર પર પહોંચ્યા હતા. જેમાં જનરલ મુશર્રફે કાશ્મીર માટે બિન-પ્રાદેશિક ઉકેલ માટે સંમતિ દર્શાવી હતી. સિંહે વધુમાં કહ્યું કે ભારત એક મજબૂત, સ્થિર, શાંતિપૂર્ણ, લોકતાંત્રિક પાકિસ્તાન ઈચ્છે છે.
ભારત પાકિસ્તાની વિસ્તારના “એક ઇંચ” ઉપર પણ દાવો કરતું નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષના વાટાઘાટોકારોએ કરારના અંતિમ ડ્રાફ્ટમાં સલાહકાર મિકેનિઝમ વિશે પણ વાત કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર સરકાર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ બંને દેશોની સરકારોના પ્રતિનિધિઓની ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. તે પછી ચર્ચા કરવામાં આવી હતી કે આ કન્સલ્ટિવ મિકેનિઝમ મુખ્યત્વે આતંકવાદ, સંસ્કૃતિ, વેપાર અને યાત્રાળુઓ જેવા સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ “બેક ચેનલો” દ્વારા ડ્રાફ્ટ્સ શેર કર્યા હતા. અને તે ચાર-પોઇન્ટ ટેમ્પ્લેટ સાથે સુસંગત છે, મનમોહન સિંઘે પણ કેબલમાં ઉલ્લેખ કર્યો છે કે, બંને પક્ષો બેક ચેનલો દ્વારા ઉકેલ સુધી પહોંચી ગયા છે.
જાેકે, બાદમાં પાકિસ્તાન સરકારે આ ફોર્મ્યુલાને એમ કહીને ફગાવી દીધી હતી કે, આ મુશર્રફની અંગત વિચારસરણી છે. જેને પાકિસ્તાની સંસદ કે કેબિનેટનું કોઈ સમર્થન નહોતું. કેબલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષે કહ્યું છે કે મુંબઈ હુમલામાં ૧૫૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. ડૉ. મનમોહન સિંહે વાતચીતમાં કહ્યું હતું કે ફરી વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન એક સંસ્કારી દેશ તરીકે વર્તે અને હુમલામાં સામેલ આરોપીઓને સજા આપે. જુલાઈ ૨૦૦૮માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાને યાદ કરતાં ડૉ.મનમોહન સિંહે કહ્યું કે આ હુમલો પાકિસ્તાનની ૈંજીૈંની મદદથી કરવામાં આવ્યો હતો. અને તેમણે રાષ્ટ્રપતિ ઝરદારી અને વડાપ્રધાન ગિલાની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ૪-પોઇન્ટ ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી જે હેઠળ એલઓસીને અપ્રસ્તુત બનાવવામાં આવી હતી. વિવાદિત વિસ્તાર પર સંયુક્ત નિયંત્રણ, કાશ્મીર અને પીઓકેના લોકો વચ્ચે મુક્ત હિલચાલ અને ધીમે ધીમે સૈનિકોને પાછા હટાવવામાં આવે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ પણ પોતાના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે બંને દેશ ડીલ કરવાના છે.
Recent Comments