fbpx
રાષ્ટ્રીય

કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા

બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા છે. જામીન દરમિયાન આસારામ કોઈપણ અનુયાયીઓને મળી શકશે નહીં. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને ૨૦૧૩માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. જીઝ્રએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે. કોર્ટે તબીબી આધાર પર આસારામને જામીન આપ્યા છે.

જામીન આપતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુરાવા સાથે છેડછાડ કરવી જાેઈએ નહીં. આ સિવાય જામીન દરમિયાન તમારા કોઈપણ અનુયાયીઓને મળશો નહીં. આસારામને સુપ્રીમ કોર્ટે ૩૧ માર્ચ સુધી જામીન આપ્યા છે. આસારામની હાલ જેલના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.આસારામને હૃદયની બીમારી છે. આ પહેલા તેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. આ પહેલા પણ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા હતા. આસારામના વકીલોએ જામીન માટે ઘણી વખત કોર્ટમાં અરજીઓ કરી છે. કોર્ટ સ્પષ્ટપણે કહે છે કે માત્ર તબીબી આધારો પર વિચાર કરી શકાય. આ સિવાય કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. કોર્ટે સજા સ્થગિત કરવાની અરજી પહેલા જ ફગાવી દીધી છે. આજે કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા છે. પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ ૨૦૧૯માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામના કેસમાં એફઆઈઆર ૨૦૧૩માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. હાલ નારાયણ સાંઈ જેલમાં બંધ છે.

Follow Me:

Related Posts