અમરેલી

દામનગર પોલીસ અને ગૌસેવકો ની સતર્કતા એ કતલખાને જતા જીવો બચાવી જીવદયા નંદી શાળા માં આશરો આપ્યો

દામનગર શહેર ના યુવાનો નું સંગઠન રાત્રી દરમ્યાન રસ્તે રજળતા અબોલ જીવો ની સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે  સેવા સારવાર નું નિરંતર કાર્ય કરે છે દૈનિક રાત્રી એ પોતા ના વાહનો અને જરૂરી દવા ઓ સાથે બીમાર ઇજાગ્રસ્ત જીવો ને સારવાર કરે રાત્રી દરમ્યાન રેલવે ફાટક પાસે ચોક્કસ વ્યક્તિ ઓ દ્વારા રેઢિયાર ઢોર ને નિયમિત રીતે કતલખાને ધકેલાતા હોવા નું ગૌસેવક યુવાનો ના ધ્યાને આવતા આ યુવાનો એ સ્થાનિક પોલીસ સુધી વાત પહોંચાડી પળ નો વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસે સતર્ક બની ગૌસેવકો ની મૌખિક રજુઆત થી તુરંત શંકાસ્પદ રીતે બંધાયેલ બળદ વિશે યોગ્ય માલિકી નહિ હોવા નું સ્પષ્ટ થતા

આ વ્યક્તિ ઓની કડક પૂછપરછ કરી ગંભીર અવસ્થા માં બાંધેલા બળદ નો છોડી મુકવા તાકીદ કરતા દસ જેટલા બળદ છોડી મુકાયા હતા આ બળદ ને ફરી કતલખાને ન મોકલાય તેવા જીવદયા ના ઉદ્દેશ થી આ બળદ ને કાયમી આશરો મળે તે માટે ગૌસેવક યુવાનો કાનભાઈ રજપૂત કિશનભાઈ આદસરા લાલભાઈ છભાડ ગગજીભાઈ આદસરા ગભરુભાઈ ભરતભાઇ આદસરા સાગર છભાડ ગોપાલ છભાડ મુકેશભાઈ જીજ્ઞેશભાઈ મોહનભાઇ છભાડ અજય ડાભલા રઘુભાઈ સાસલા ખીમજીભાઈ કાસોટિયા રઘુભાઈ પ્રતિકભાઈ રાજપૂત ભવન આદસરા રામ આદસરા સાગર પરમાર સહિત ના ઓએ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના ભગવનભાઈ નારોલા મનસુખભાઇ નારોલા ભોળાભાઈ આલગિયા નટુભાઈ આસોદરિયા લાલભાઈ સિદ્ધપરા જયતિભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી મંડળ નો રૂબરૂ સંપર્ક કરી બચાવેલ જીવો ને કાયમી આશરો અપાવી સુંશ્ચિત સેવા આપી જીવદયા નો સુંદર સંદેશ આપ્યો હતો 

Related Posts