રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું

આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જાેઈએ કે સ્થાનિકોને માન આપવું જાેઈએ

કર્ણાટકના બેંગ્લુરુમાં આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબર ને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘ઓરંગઝેબે જે કર્યુ તેના કારણે તેમને આઇકોન માનવા ન જાેઇએ, ગંગા-જમના સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જાે દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.‘

સીમાંકન અંગે, ઇજીજીના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું, ‘વસ્તી ગણતરી શરૂ થવા દો. સીમાંકન પણ થવા દો, પછી આપણે જાેઈશું. જાે સંઘના કોઈપણ વ્યક્તિ કે કાર્યકરને યોગ્યતાના આધારે રાજકારણી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. આમાં સંઘની કોઈ ભૂમિકા નથી.‘

તેમજ મુસ્લિમોને કોન્ટ્રાક્ટમાં ૪ ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના ર્નિણયનો આરએસએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, ‘ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતાં.‘

Related Posts