અમરેલી

સંગઠન સૂજન અભીયાન અર્તગત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ની આગેવાની માં મહત્વપુર્ણ બેઠક યોજાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ આદરણીય શ્રીમલ્લિકાર્જુન ખડગજી તથા વિપક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજીના નિર્દેશ અનુસાર સંગઠન સૂજન અભિયાન હેઠળ સંગઠનને સશક્ત અને વેગવંતુ કરવા માટે અમરેલી જિલ્લાના એઆઈસીસી ના પ્રભારી શ્રી જગદીશભાઈ જાંગીડ (પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસ્થાન) તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમરેલીના પ્રભારી શ્રી ઇન્દ્રવિજય સિંહ ગોહિલ(કાર્યકારી પ્રમુખ ગુજરાત) શ્રી લાખાભાઈ ભરવાડ(પૂર્વ ધારાસભ્ય શ્રી) શ્રી ગાયત્રીબા વાઘેલા(પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગુજરાત) અને શ્રી કલ્પનાબેન મકવાણા( પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર તારીખ 25/4 થી પધારવાના હોય તારીખ 27/4 સુધી અમરેલી જીલ્લાનાં  વિવિધ વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે  સીધો સંવાદ કરવાના હોય તેના સંકલન અને આયોજન અંગે તારીખ 20/4 ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય  અમરેલી માર્કેટીંગ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી   અમરેલી જિલ્લા ની 5 એ વિધાનસભા માં જીલ્લા કક્ષા ના આગેવાનો ની ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપવા આવી તથા તાલુકા અને  શહેર પ્રમુખો ને પણ  જવાબદારી સોંપવા આવી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય હિરેનભાઈ મશરૂ ની યાદી જણાવા માં આવે છે

Related Posts