એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે
માહિતી બ્યુરો, ભાવનગર
ભારત સરકારશ્રી દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર
રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં
જણાવ્યું છે.
સરકારશ્રીની દરેક સહાય યોજનાઓનો લાભ લેવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવાની જરૂરી છે.જે ખેડૂતોએ આ ફાર્મર
રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો હાલમાં મળતી પીએમ કિસાન સમ્માન નિધી યોજના હેઠળની રૂ.૨૦૦૦/-ની સહાય
બંધ થઈ જશે.
જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ મેળવતા નથી પણ જિલ્લાના ખેડૂત ખાતેદાર છે
તે તમામ ખેડૂતોએ પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.જમીનના ખાતામાં નામ ધરાવતા તમામ ખેડૂત
ખાતેદારશ્રીઓએ ફાર્મર રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેવું, ભવિષ્યમાં ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસો પણ લઘુત્તમ
ટેકાના ભાવે ભરાવવા આ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી છે.ખેડૂતોની જમીનમાં વાવેલા પાકોની ડીજીટલ નોંધણી
(ડીજીટલ ક્રોપ સર્વ) કરાવવા માટે, કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા, ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારતો થતાં પાક
નુકસાનીનું વળતર ચૂકવવાનું થશે તો પણ ખેડૂત ઓળખકાર્ડ હોવું ફરજિયાત છે.
આગામી સમયમાં ખેડૂતો માટે વિવિધ કૃષિ વિષયક યોજનાના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર આસાનીથી
અરજી કરી શકાય તે માટે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ખાસ અનિવાર્ય છે.
ખેડૂતોએ જાતે ઘર બેઠા પોતાના મોબાઇલમાં મોબાઇલ એપ મારફતે, જે તે ગામના ગ્રામ પંચાયત કચેરી
ખાતે બેસતા વીસીઇ પાસે અને નજીકના કોમન સર્વીસ સેન્ટર મારફતે તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવી જરૂરી
છે.
ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરાવવા જરૂરી ડોક્યુમેટ્સમાં આધાર કાર્ડ, આધારકાર્ડ લીંક હોય તેવો મોબાઇલ,
જમીનના માલીકી હક્કના પુરાવા રૂપે ૮અ /૭-૧૨ની નકલ રાખવી.
ખેડૂત જો હાલમાં પોતાના ગામે અથવા અન્ય જગ્યાએ રહેતા હોય તેઓ ગમે ત્યાં બેઠા પણ કરી શકશે. ખેડૂત
પોતાના રહેઠાણના ગામમાં જમીન ધરાવતા હોય તેની માહિતી અને અન્ય કોઇ પણ ગામે જમીન ધરાવતા હોય તેની
માહિતી જાહેર કરવાની થાય છે.
જે ખેડૂતોએ પોતે નોંધણી કરાવી છે તેઓએ ૮-અમા નામ ધરાવતા તમામ પરિવારજનોની અવશ્ય નોંધણી
કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો છે
દરેક ગામના નાગરિકોએ પોતાના ખેડૂત હોવા અંગેના પુરાવા તરીકે પ્રસ્થાપિત કરવા સરકારશ્રી દ્વારા શરૂ
કરેલ આ પહેલને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભાવનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.
સમાચાર સંખ્યા : ૩૧૩
૧૨ પાસ / ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ગુરૂવારે ભરતી મેળો યોજાશે
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલની મુલાકાત લેવી
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૦૮ મે,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાનગીક્ષેત્રનાં અંદાજીત ૦૫ એકમ (કંપની)માં ૧૨ પાસ / ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે
Commercial & Crm Manager, Salesman, Tele caller, સેલ્સ એક્સિક્યુટિવ, ઓનલાઇન માર્કેટિંગ એક્સિક્યુટિવ,
સૂપરવાઇઝર, Office Boy, Floor Hostess વગેરે જગ્યાઓ ભરવાની છે.
નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ
માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની
વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR
(GOG)ની મુલાકાત લેવી તેમ રોજગાર કચેરી, ભાવનગરની એક યાદીમાં જણાવાયું છે.
સમાચાર સંખ્યા : ૩૧૪
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
“બ્લેક આઉટ એટલે અંધારપટ”, યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવાનું રહેશે
ભાવનગર જિલ્લામાં થનાર બ્લેક આઉટ અને મોકડ્રિલ અંગે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ
કુમાર બંસલ એ માહિતી આપી
સાંજે 7.45 વાગ્યે બે મિનિટ સુધી સાયરન વાગવાની સાથે નાગરિકોએ ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ
કરવાના રહેશે
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ થનાર બ્લેક આઉટ અંગે કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ
ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે સીવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે સામાન્ય
નાગરિકોમાં યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી બ્લેક આઉટ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ,
જેમાં દરેક વ્યક્તિઓએ પોતાના ઘરે ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કરવાના રહેશે. સાંજે 7.45 વાગ્યે બે મિનિટ
સુધી સાયરન વગાડવામાં આવશે ત્યારે ઇલેક્ટ્રિક લાઈટના ઉપકરણો બંધ કરવાના તેમજ 8.15 વાગ્યે એક મિનિટ
સાયરન વાગશે ત્યારે ઇલેક્ટ્રિક લાઈટ ફરી શરૂ કરવાની રહેશે.
બ્લેક આઉટ કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને ભાવનગર જિલ્લાના ગામડાઓમાં કરવાનો
રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે સીવિલ ડિફેન્સના ભાગરૂપે બ્લેક આઉટ અને મોકડ્રિલ તા. 7 મે ના રોજ કરવામાં
આવશે જેના અનુસંધાને સાંજે 4 વાગ્યે જિલ્લાના કોઈ એક સ્થળ પર મોકડ્રિલ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર શ્રી એ અપીલ કરી છે કે કોઈ ઇમરજન્સી કામ વગર રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી એટલે
કે અડધો કલાક વાહન લઈને બહાર નીકળવાનું ટાળવું.
આ પત્રકાર પરિસરમાં પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી એન. ડી. ગોવાણી
ઉપસ્થિત રહ્યા હતા
કૌશિક શીશાંગીયા
સમાચાર સંખ્યા : ૩૧૫
જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલની અધ્યક્ષતામાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે
બેઠક યોજાઇ
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ યોજાનાર મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે જિલ્લા કલેકટર ડો. મનીષ
કુમાર બંસલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી દ્વારા સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ મોકડ્રીલ
અને બ્લેકઆઉટ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.7 મે ના રોજ ભાવનગર જિલ્લામાં કોઈ ચોક્કસ સ્થળે મોકડ્રીલ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક
કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, આરોગ્ય, ફાયર, આર.ટી. ઓ. સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
Recent Comments