રાષ્ટ્રીય

મની લોન્ડરિંગ કેસ : શિરોમણી નેતા બિક્રમ મજીઠિયાની ન્યાયિક કસ્ટડી ૨ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી

કથિત મની લોન્ડરિંગ અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં મોહાલીની એક કોર્ટે શિરોમણી અકાલી દળ (એસએડી)ના નેતા બિક્રમ સિંહ મજીઠિયાની ન્યાયિક કસ્ટડી ૨ ઓગસ્ટ સુધી લંબાવી છે. તેમના અગાઉના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને શનિવારે (૧૯ જુલાઈ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મજીઠિયાને પહેલા ૬ જુલાઈના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જે શરૂઆતમાં ૧૯ જુલાઈ સુધી માન્ય હતા.
કાનૂની કાર્યવાહી અને જામીન અરજીમાં સુધારો
૮ જુલાઈના રોજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મજીઠિયાને તેમની ધરપકડને પડકારતી અરજીમાં સુધારો કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો. ૧૬ જુલાઈના રોજ જામીન સુનાવણી દરમિયાન, મજીઠિયાના વકીલે અરજીમાં સુધારો કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો. હાઈકોર્ટ હવે ૨૯ જુલાઈના રોજ સુધારેલી અરજી પર સુનાવણી કરવાનું છે.
ધરપકડ અને આરોપોની વિગતો
મજીઠિયાને ૨૫ જૂનના રોજ પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અમૃતસરમાં તેમના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મોહાલી લઈ જવામાં આવ્યા અને સાત દિવસ માટે વિજિલન્સ બ્યુરોના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા, જે બાદમાં વધુ ચાર દિવસ લંબાવવામાં આવ્યા. તેઓ હાલમાં નવી નાભા જેલમાં બંધ છે.
રાજકીય બદલાના આરોપો
ખાસ સરકારી વકીલ ફેરી સોફતે ન્યાયિક રિમાન્ડ લંબાવવાના કોર્ટના ર્નિણયને સમર્થન આપ્યું, અને કહ્યું કે શરૂઆતની જામીન અરજીમાં ભૂલો હતી અને તેને ફરીથી સબમિટ કરવાની જરૂર હતી. દરમિયાન, શિરોમણી શિરોમણી નેતા દલજીત એસ ચીમાએ રાજ્યના કડક સુરક્ષા પગલાંની ટીકા કરી અને આમ આદમી પાર્ટી (છછઁ) સરકાર પર બદલાની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો, પરિસ્થિતિને કટોકટીના યુગ સાથે સરખાવી.
“આ સરકાર જૂઠાણા અને ખોટા પ્રચાર ફેલાવીને અકાલી દળના નેતૃત્વને બદનામ કરવા માંગે છે,” ચીમાએ આરોપ લગાવ્યો.

Related Posts