આંકડામાં ય્ઝ્રઇૈંની કામગીરી:-
- સરેરાશ ૪૯૦૦૦થી વધુ લોકોએ વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ ઓપીડીનો લાભ મેળવ્યો.
- દર વર્ષે કેન્સર સ્ક્રીનિંગ માટે ૧૦૦થી વધુ કેમ્પનું આયોજન થાય છે.
- દર વર્ષે સરેરાશ ૫૪૫૩ મેજર સર્જરીઓ અને ૬૪૯૪ માઈનર સર્જરીઓ કરવામાં આવે છે.
- દર વર્ષે કીમોથેરાપીના સરેરાશ ૪૮,૫૬૮ સત્રો થાય છે.
- દર વર્ષે સરેરાશ ૫૯૦૬ દર્દીઓની રેડિયોથેરાપીથી સારવાર થાય છે.
તમાકુનું વ્યસન કરતાં લોકોએ મહિને એકાદ વાર અરીસા સામે ઊભા રહીને મોંની જાત તપાસ કરવી જાેઈએ :- ડૉ. શશાંક પંડ્યા, નિયામક શ્રી, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
૨૭ જુલાઈના દિવસને વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે‘ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે‘ ઊજવવામાં આવે છે.
આજે વાત કરવી છે અમદાવાદમાં મેડિસિટી ખાતે આવેલી એક એવી સરકાર સંચાલિત હોસ્પિટલની જ્યાં મોં અને ગળા સહિત તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર મેળવીને કેન્સરને હરાવીને ઘરે જાય છે.
અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતે સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ય્ઝ્રઇૈં) કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ બની રહી છે. ગુજરાત સરકાર, ગુજરાત કેન્સર સોસાયટી અને ય્ઝ્રઇૈં ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા તેના ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જાણીતું નામ બન્યું છે.
ય્ઝ્રઇૈં ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઁસ્ત્નછરૂ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
ય્ઝ્રઇૈં: કેન્સર સારવારમાં અગ્રેસર નામ-
અમદાવાદના સિવિલ કેમ્પસ ખાતે સ્થિત સરકાર સંચાલિત ય્ઝ્રઇૈં હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાત ટીમ દ્વારા દેશભરના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૭૭,૬૫૦ દર્દીઓએ અહીં સારવાર મેળવી, જેમાંથી ૨૫,૪૦૮ (૩૩%) મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા. આ આંકડો વ્યસન પ્રત્યે સામાજિક જાગૃતિની જરૂરિયાત પણ દર્શાવે છે.
અદ્યતન આરોગ્ય સેવાઓ-
ય્ઝ્રઇૈં વિવિધ સેવાઓ દ્વારા દર્દીઓને વ્યાપક સારવાર આપે છે: - સ્ક્રીનિંગ અને નિવારણ: ઓક્ટોબર ૨૦૨૧થી શરૂ થયેલી કેન્સર સ્ક્રીનિંગ ર્ંઁડ્ઢ દ્વારા સરેરાશ ૪૯,૦૦૦થી વધુ લોકોએ વિનામૂલ્યે સ્ક્રીનિંગનો લાભ લીધો, જેમાં ૧૦૪ કેન્સરના કેસો ઓળખાયા.
- સર્જરી: દર વર્ષે સરેરાશ ૫,૪૫૩ મેજર અને ૬,૪૯૪ માઇનર સર્જરીઓ થાય છે.
- કીમોથેરાપી: વાર્ષિક સરેરાશ ૪૮,૫૬૮ સત્રો.
- રેડિયોથેરાપી: ૫,૯૦૬ દર્દીઓને સરેરાશ દર વર્ષે સારવાર.
- બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (મ્સ્): ૨૦૨૪માં મ્સ્ વિભાગની બેડ ક્ષમતા ૪થી વધારી ૧૧ કરવામાં આવી.
- રોબોટિક સર્જરી: ય્ઝ્રઇૈં દેશની પ્રથમ અને એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલ છે, જે રોબોટિક સર્જરી સુવિધા ધરાવે છે.
વિનામૂલ્યે સારવાર-
ઁસ્ત્નછરૂ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. ખાનગી હોસ્પિટલોની તુલનામાં પેઇંગ દર્દીઓ માટે પણ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે, જેથી કોઈ દર્દી નાણાકીય અછતને કારણે સારવારથી વંચિત રહેતું નથી.
સામુદાયિક જાગૃતિ અને નિવારણ
ય્ઝ્રઇૈં સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા સક્રિય છે:-
Recent Comments