દામનગર શહેરનાં ભુરખીયા રોડ પર આવેલ રેલવે લાઈનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીની સતત અવરજવરને કારણે ફાટક બંધ રહેવાને કારણે વાહન વ્યવહાર અને ઈમરજન્સી સેવાઓને અસર થતી હતી. આ સમસ્યા હલ કરવા માટે રજૂઆતના અંતે મંજૂર થયેલ ઓવરબ્રિજનું કામ શરૂ કરાયું છે. આ કામ શરૂ કરતા પહેલા ડાયવર્ઝન આપવાનું હોય તે અપાયેલ ન હોવાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આથી તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે એવી માંગ ઉઠી છે. આ ઓવરબ્રિજનું કામ લગભગ ત્રણેક વર્ષ સુધી ચાલશે.
દામનગરમાં નિર્માણાધીન ઓવરિ બ્રજના ડાયવર્ઝનના અભાવથી વાહનચાલકો પરેશાન



















Recent Comments