ગુજરાત

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાની મુલાકાતે

૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત
ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ રોજ રાજકોટ જિલ્લાના
પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. ૧૭ જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે
૮-૦૦ કલાકે ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે.
તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ફીટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે
ઓન સાયકલ મા ભાગ લેશે. ત્યાર બાદ સવારે ૧૧-૦૦ થી સાંજે ૬-૦૦ “શ્રી ગોરસ સાંસદ કાર્યાલય”
ખાતે પોરબંદર લોકસભા વિસ્તારના નાગરિકો તથા વિવિધ આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે
મુલાકાત કરશે.

Related Posts