અમરેલી

ચિતલમાં 127 મો નેત્ર યજ્ઞ મકાણી પરિવારના સહયોગથી યોજાયો

ચિતલમાં 127 મો નેત્ર યજ્ઞ મકાણી પરિવારના સહયોગથી યોજાયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ દિલીપભાઈ બોઘાણી ના સ્મૃતિમાં દીપકભાઈ મકાણી દહીડાવાળા ના સહયોગથી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથરની અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન રામજી મંદિર દહીડાના પુજારી વિનુબાપુના  વરદહસ્તે કરવામાં આવેલ.આ પ્રસંગે તાલુકા પંચાયત અમરેલી ના ચેરમેન જે.બી. દેસાઈ, વગેરે ઉપસ્થિત રહેલ આ  કેમ્પ મા 100 દર્દીઓ  તપાસ કરેલ તેમાં થી એ 29 દર્દીઓને  મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ કાર્યક્રમ નું  સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા કરેલ હતું કેમ્પ ને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા, બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડીયા, રાણાભાઇ, જીતુભાઈ વાઘેલા કેશુભાઈ દેસાઈ,બધાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરીયા ,સવજીભાઈ વાઘેલા ચંદુભાઈ રાદડિયા, રામભાઈ અસલાલીયા, જેપી માંગરોળીયા ,વગેરે જહમત ઉઠાવી હતી

Related Posts