ભાવનગર

શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે મંત્રીડૉ.કુબેરભાઈ ડિંડોરના વરદહસ્તે ૨૬ મીજાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ‌ યોજાશે

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોરના વરદહસ્તે આગામી “પ્રજાસત્તાક દિન”૨૬ મી જાન્યુઆરી-૨૦૨૫ને રવિવારના રોજ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી,ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts