ગુજરાત

પાટણમાં નકલી ડોક્ટરે અનાથ બાળકનો રૂ. ૧.૨૦ લાખમાં સોદો કર્યો

પાટણમાં અનાથ બાળકને દત્તક લેવાના નામે નકલી ડોક્ટરે પરિવાર સાથે રૂ. ૧.૨૦ લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અનાથ બાળકને દત્તક લેવા વિચારતા નિસંતાન દંપતી માટે ચેતવા જેવો કિસ્સો છે. પાટણમાં અનાથ બાળકને દત્તક લેવાના નામે નકલી ડોક્ટરે પરિવાર સાથે રૂ. ૧.૨૦ લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ રમત ૫૧ રૂપિયાના ટોકનથી શરૂ થઈ હતી. જાે કે બાળકને લીધાના થોડા દિવસો બાદ બાળકનું માથું અચાનક મોટું થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે બાળક હાઈડ્રોસેફાલસથી પીડિત છે. આ સંદર્ભે ૫ દિવસ પહેલા ર્જીંય્ પોલીસને બાતમી મળી હતી કે સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ નકલી ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરતો હતો.

જેના આધારે પોલીસે તેના ક્લિનિક પર દરોડો પાડી નકલી ડોક્ટરનો પર્દાફાશ કર્યો હતો. હાલ તેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પાટણમાં રહેતા નીરવ નામના યુવકના લગ્ન ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયા હતા. લગ્નના ૮ વર્ષ બાદ પણ પત્નીને સંતાન ન થતાં પતિ-પત્ની પરેશાન હતા. દરમિયાન, માર્ચ ૨૦૨૩ માં, યુવકે પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ક્લિનિક ચલાવતા અમરત રાવલ નામના વ્યક્તિ સાથે વાત કરી. પછી તેણે નીરવને કહ્યું કે અનાથ બાળકો અવારનવાર અમારી હોસ્પિટલમાં આવે છે. જાે તમે બાળકને દત્તક લેવા માંગતા હોવ તો મને જણાવો. પછી નીરવે તેને કહ્યું કે જાે કોઈ સારું બાળક આવે તો તેને જણાવજે. થોડા દિવસો પછી હોસ્પિટલમાંથી ફોન આવે છે કે બાળક આવી ગયું છે અને તે બેબો છે. જાે તમારે જાેવું હોય તો અહીં આવો.

યુવકે તેના પરિવારને આ સમગ્ર મામલાની જાણ કરી. પરિવારની સંમતિ બાદ યુવક બાળકને જાેવા હોસ્પિટલ જાય છે. ત્યારબાદ બાળકને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. પછી નીરવ પૂછે છે કે બાળકને આઈસીયુ વોર્ડમાં કેમ રાખવામાં આવે છે, શું સમસ્યા છે. ત્યારે અમ્રત રાવલ તરફથી જવાબ મળે છે કે બાળક એક અઠવાડિયામાં ઠીક થઈ જશે. ચિંતા કરવાની કોઈ વાત નથી. ત્યારબાદ યુવકે હોસ્પિટલના કર્મચારીને પૂછ્યું કે બાળકને અહીં કોણ લાવ્યું, કર્મચારી કહે છે કે, સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ બાળકને અહીં લાવ્યો છે. તે બે દિવસ પછી પરત ફરશે. ત્યારબાદ યુવક તેના પરિવારજનોને હોસ્પિટલમાં લઈ આવે છે

અને બાળકને જાેયા બાદ તમામ સભ્યો તેને દત્તક લેવા માટે સંમત થાય છે. બે દિવસ પછી, જ્યારે સુરેશ ઠાકોર બાળકની સંભાળ લેવા માટે હોસ્પિટલમાં આવે છે, ત્યારે સ્ટાફે તેને નીરવ સાથે પરિચય કરાવ્યો હતો. વાતચીત દરમિયાન સુરેશ નીરવને કહે છે કે આ બાળક અનાથ છે, જાે તમે તેને દત્તક લેવા માંગતા હોવ તો તેની તબિયત સારી થાય પછી તમે તેને લઈ જઈ શકો છો. પરંતુ તમારે તેને ૧,૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ બાળકના દત્તક લેવાના કાગળો અને બર્થ સર્ટિફિકેટ અંગે ચર્ચા થાય છે, જેમાં સુરેશ કહે છે કે હવે ટોકન તરીકે રૂ. ૫૧ આપો અને બાકીની રકમ પેપર્સ અને બર્થ સર્ટિફિકેટ મેળવીને બાળકને લઈ ગયા પછી આપવાના છે.

ચર્ચા મુજબ બાળકની તબિયત સુધરે ત્યારે યુવક સુરેશને ૫૦ હજાર રૂપિયા આપે છે. બાળકને હોસ્પિટલમાંથી લઈ જતા પહેલા, નીરવ ડૉક્ટરને મળે છે અને બાળકની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે તમામ જરૂરી માહિતી મેળવે છે. આ પછી ડૉક્ટર તેને હોસ્પિટલનું ૧૦,૦૦૦ રૂપિયાનું બિલ ચૂકવવા અને બાળકને ઘરે લઈ જવા કહે છે. બાળકને ઘરે લઈ ગયા પછી, પરિવાર તેની સારી સંભાળ રાખે છે. થોડા દિવસો બાદ બાળકનું નામકરણ કરવામાં આવે છે અને દસ્તાવેજાે પણ વોટ્‌સએપ દ્વારા સુરેશને મોકલવામાં આવે છે. દસ્તાવેજાેના આધારે સુરેશ યુવકને બર્થ સર્ટિફિકેટ મોકલે છે,

ત્યારબાદ યુવક સુરેશને બીજા ૫૦ હજાર રૂપિયા આપે છે. બાળકના દત્તકના કાગળો માંગતા સુરેશ કહે છે કે હવે બાળકનું બર્થ સર્ટિફિકેટ તમારા નામે થઈ ગયું છે, તેથી દત્તક લેવાના કાગળોની જરૂર નથી. ૧૦ દિવસ પછી બાળકની તબિયત બગડે છે અને બાળકનું માથું અચાનક મોટું થઈ જાય છે, જેથી પરિવાર તેને હોસ્પિટલ લઈ જાય છે. જ્યારે બાળકનું સ્કેન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે છે, ત્યારે ડૉક્ટર પરિવારને કહે છે કે તેને માથામાં પ્રવાહી ભરવાની સમસ્યા છે. આ જાણીને પરિવાર ડરી જાય છે અને યુવક સુરેશને ફોન કરીને કહે છે કે તે હવે બાળક દત્તક લેવા માટેના કાગળો તૈયાર નહીં કરે અને બાળક બીમાર છે, તેથી તેને પાછો લઈ જવો જાેઈએ.

થોડા દિવસો પછી, સુરેશ આવીને બાળકને લઈ જાય છે. જ્યારે યુવકે પૈસા પાછા માંગ્યા ત્યારે સુરેશ કહે છે કે હવે આ બાળકને કોઈ લઈ જશે નહીં, તેથી તેને આશ્રમમાં જ રાખવો પડશે. જ્યારે યુવક સતત પૈસા માંગે છે, ત્યારે સુરેશ ૩૦,૦૦૦ રૂપિયા પરત કરે છે, પરંતુ જ્યારે યુવકે બાકીના પૈસા ન આપતાં તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પાટણ એસઓજી પીઆઈ ઉનાગરે જણાવ્યું હતું કે નકલી તબીબ સુરેશ ઠાકોર બાળક ૧,૨૦,૦૦૦ રૂપિયામાં પાટણના વાલીને વેચવા માટે ક્યાંથી લાવ્યો અને પાટણના ફરિયાદીએ નકલી તબીબ સુરેશ ઠાકોરને બાળક પરત કર્યા બાદ શું સુરેશ ઠાકોરે બાળકકોઈને પાછું આપ્યું કે તેણે રાખ્યું હતું? બાળક હવે ક્યાં છે, અનાથાશ્રમમાં છે? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

Related Posts