આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતા ઉમરલા ગામના ખેડુત પુત્ર બરાળ ખુશાલ મનુભાઈએ A1 ગ્રેડ સાથે 97.40 PR. મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ માટે શાળા ખૂબ જ પ્રયત્નશીલ છે.આ સાથે શાળાના કુલ 11 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.
શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોરમાં અભ્યાસ કરતા ખેડુત પુત્રે ધોરણ 10 (ssc) બોર્ડમાં મેળવી ભવ્ય સફળતા

Recent Comments