અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૦૨-પાલીતાણા
વિધાનસભા મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી
તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૮ કલાકથી પાલીતાણા તાલુકાના વિવિધ ગામોએ પદયાત્રા યોજાનાર છે. જેમાં
ઠાડચ ગામથી શરૂ કરીને મેઢાથી લાપાળીયાથી નાની રાજસ્થળીથી શેંત્રુજી ડેમ સુધીની પદયાત્રા યોજાનાર છે. આ
પદયાત્રામાં સમગ્ર ૧૦૨-પાલીતાણા વિધાનસભા મતવિસ્તારની જાહેર જનતાને જોડાવા મામલતદારશ્રી પાલિતાણા
દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
પાલિતાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૭ નવેમ્બર ના રોજ પદયાત્રા યોજાશે




















Recent Comments