અમરેલી

“પદ્મશ્રી ડૉ.જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય” ના શુભારંભ ગણતરીના દિવસો પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પુસ્તકાલય અને વાંચન અભ્યાસ મહત્વ વિશે માર્ગદર્શન સેમિનાર. વક્તા:- શ્રી નટવરલાલ ભાતિયા.  (પત્રકાર, કૉલમિસ્ટ – દામનગર.)

દામનગર ના શાખપુર  પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય ના  શુભારંભ  ગણતરીના દિવસો પહેલાં…શાખપુર હાઈસ્કૂલ મુકામે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પુસ્તકાલય અને વાંચન અભ્યાસ મહત્વ વિશે માર્ગદર્શન સેમિનારવક્તા:- શ્રી નટવરલાલ ભાતિયા.(પત્રકાર, કૉલમિસ્ટ – દામનગર.)૧૭/૦૧/૨૫ શુક્રવાર.બપોરે ૩-૩૦ થી ૪-૩૦ સુધી.શાખપુર હાઇસ્કુલ. પ્રેરક ઉપસ્થિતિ શ્રી બાબુભાઈ વી. મકવાણા (નિવૃત શિક્ષક) શ્રી વજુભાઇ સિધ્ધપુરા (રૂપાઘડા) (વતની- શાખપુર, હાલ- મુંબઈ)શ્રી બાબુભાઈ ખુમાણ તાલુકા પંચાયત લાઠી સદસ્ય,(શાખપુર, પાડરશીંગા સીટ) શ્રી જશુભાઈ ખુમાણસરપંચ ગ્રામ પંચાયત- શાખપુર.શ્રી નઝીરભાઈ મલેકભા.જ.પ. લઘુમતી મોરચો મહામંત્રી- જિલ્લો:- અમરેલી.શ્રી લખમણભાઈ બલર પૂર્વ સરપંચ- શાખપુર.ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ તથા હાઈસ્કૂલ શિક્ષક સ્ટાફ તમામ આચાર્ય,સુનિલકુમાર ગોયાણી પાર્થ તેરેયા શિક્ષક શાખપુર ની ઉપસ્થિતિ માં “પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય” ના  શુભારંભ  ગણતરીના દિવસો પહેલાં શાખપુર હાઈસ્કૂલ મુકામે મુખ્ય વક્તા પત્રકાર નટવરલાલ ભાતિયા નું મનનીય વક્તવ્ય “માતા પિતા અને શિક્ષકો ઉજાસ આપશે પણ પુસ્તકો પાંખો આપશે” શાખપુર ખાતે નવનિર્મિ”પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય” ની અદભુત વ્યવસ્થા અને સમૃદ્ધ વાંચન સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે ઉત્તમ સ્થળ નોકરી ની તૈયારી કરતા ઉમેદવારો માટે આશીર્વાદ રૂપ સમગ્ર વિસ્તાર ૧૦ જેટલા ગ્રામ્ય ના સ્પર્ધામક પરીક્ષાર્થી ઓ માટે ઘર આંગણે અવિરત જ્ઞાનગંગા સમાન સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે પૂસ્તકાલય એક દેવળ છે એનું મનન અધ્યન તુરંત ઇચ્છિત વરદાન માટે પર્યાપ્ત છે સદવિચાર વૈચારિક પરિવર્તન એ સૌથી મોટી ક્રાંતિ છે અને એ કાર્ય પુસ્તકાલય પ્રબળ રીતે કરી શકે છે.જ્ઞાનગંગાનું સશક્ત માધ્યમ એટલે પુસ્તકાલય ઉજ્જવળ ભવિષ્યના અને ઉત્તમોતમ પુસ્તકાલય અંગે વિસ્તૃત માર્ગદર્શન સેમિનાર માં અસંખ્ય વિદ્યાર્થી ઓ કલાકો સુધી સ્થિર પ્રજ્ઞ બની સેમિનાર માણ્યો હતો રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડા એ વિદ્યાર્થી ઓને વિનોદ વૃત્તિ થી ખડખડાટ હસાવી મુકયા હતા 

Related Posts