અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ૩૦ વર્ષીય દર્દી મનીષાબેનને રાત્રે ૧૨:૩૦ વાગ્યે અચાનક તબિયત બગડતા સાવરકુંડલા થી ઈમરજન્સીમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે રીફર કરાયા હતા. જેમને શાંતાબા જનરલ હોસ્પિટલ ના સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાંત ડો. જલ્પા રાઠોડ દ્વારા તપાસતા તેમનું ગર્ભાશય ફાટી ગયેલ હોવાનું જણાયું હતું અને તેના કારણે તેમના પેટના ભાગના લોહી ભરાયેલ ગયેલ હતું તથા હેવી બ્લડ લોસ થવાના કારણે દર્દી HypovolemiShock માં હોવાથી તાત્કાલિક ઈમરજન્સી માં દર્દીનું ઓપેરેશન કરી હોસ્પીટલની ગાયનેક વિભાગ તથા એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા દર્દીનું ફાટી ગયેલ ગર્ભાશય દુર કરવાની જોખમી સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવેલ હતી, ઓપેરેશન દરમ્યાન દર્દીને ૫ જેટલી લોહીની બોટલ પણ ચડાવવાની જરૂર પડેલ હતી. અતિ ગંભીર પરીસ્થીતીમાં સફળતાપૂર્વક સર્જરી કરવા દલ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના સ્ત્રીરોગ વિભાગના ડો. જલ્પા રાઠોડ, ડો. સોલંકી અને ડો. કિશન ને ખુબ ખુબ અભિનંદન.
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ગાયનેક વિભાગ ના નિષ્ણાંતદ્વારા સફળતા પૂર્વક કરાયું ગર્ભાશયનું હાઈરિસ્ક ઓપરેશન.

Recent Comments