અમરેલી

આઇ.ટી.આઇ ધારી ખાતે ૨૫ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦, ધો.૧૨, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, બી.એસ.સી, એમ.એસ,સી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો. ૧૦ (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરના કોર્સ કરેલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

કેશીયરની જગ્યા માટે- બી.કોમ, એમ.કોમ,  સ્ટોક મેનેજર-ફ્લોર મેનેજરની જગ્યા માટે બી.બી.એ, એમ.બી.એ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદારો માટે રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. ૨૫.૦૨.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઇ.ટી.આઇ) ધારી ખાતે રોજગાર મેળો યોજાશે.

આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts