અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે અમરેલી એચ.ડી.એફ.સી. લાઈફ ઇન્શ્યોરન્સ દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને સ્નાતકની શૈક્ષણિક લાયકાત તેમજ સી.આઈ.ઈ. ઓટોમોટિવ ઇન્ડિયા લિમિ. રાજકોટ દ્વારા કંપની ટ્રેઈનીની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦, ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ, ડિપ્લોમા સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા કે એક્સ આર્મીમેન હોય તે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
અનુબંધમ વેબપોર્ટલ ડિજિટલ માધ્યમથી તા.૨૫ ફેબ્રુઆરી,૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન અમરેલી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ભરતીમેળામાં આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન https://anubandham.gujarat.gov.in/account/signup પર કરાવવું, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments