અમરેલી

હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો

લાઠી વીર હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાયો કીર્તિ કોટેઝે લાઠી ખાતે ગઈ કાલે રાત્રે ૯-૦૦ કલાકે સોમનાથ ની ધર્મ રક્ષારથે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર લાઠીના રાજવી કુંવર વિર હમીર સિંહજી ગોહિલને સ્મૃતિ વંદના થી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણનો એક કાર્યક્રમ હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા યોજવામાં આવેલ.જેમાં ઈતેશભાઈ મહેતા તથા ભરતભાઇ પાડા તેમજ ધર્મેશભાઈ સોની રાજુભાઈ રીઝિયાં એ પ્રાસંગિક ઉદબોધન કરેલ.આ કાર્યક્રમાં ટ્રસ્ટીશ્રી અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા, ટ્રસ્ટીઓ ભરતભાઈ પાડા, મહામંત્રી રાજુભાઈ રિઝિયા, ઉપ પ્રમુખ મનુભાઈ ગોસાઈ તેમજ લાઠી શહેર ભાજપ ના પ્રમુખ ધર્મેશભાઈ સોની તેમજ યુવા ભાજપના પ્રમુખ રોમિત કોટડીયા એડવોકેટ હરેશભાઈ સેજુ તથા સોમનાથની સખાતે નાટક માં હમીરજી નો અભિનય કરતા ભાવેશ રંગપરા તથા ભાવાંજલિ પૂજન વિધિ કરાવનાર સમીરભાઈ રાજ્યગુરુ તથા ગુણુબપુ  ગોસાઈ, શૈલેષભાઇ લાડોલા, લક્ષ્મણભાઈ વસાવડા વિગેરે ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રસ્ટીશ્રી રાજુભાઈ રીઝીયાં એ કરેલ.

Related Posts