છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જાેવા મળ્યો નથી. ચીનમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ ના વધતા જતા કેસોને જાેતા ભારત દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત ઉૐર્ં ને પણ સમય સમય પર અપડેટેડ માહિતી શેર કરવા વિનંતી કરવામાં આવી છે.
શનિવારે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વાસ્તવમાં ચીનમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં શ્વસન સંબંધી રોગોના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, ૐસ્ઁફ કેસોનું પરીક્ષણ કરતી લેબની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને ભારતીય તબીબી સંશોધન પરિષદ સમગ્ર વર્ષ દરમિયાન ૐસ્ઁફ પર નજર રાખશે. હાલમાં, મોનિટરિંગમાં કોઈ અસામાન્ય વધારો જાેવા મળ્યો નથી. મંત્રાલયે કહ્યું કે ચર્ચા બાદ અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, એ વાત પર સહમતિ બની હતી કે ચીનમાં ફ્લૂની ચાલુ સિઝનને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અસામાન્ય નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્વસન રોગોમાં વધારો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે, જે આ સિઝનના સામાન્ય વાયરસ છે.


















Recent Comments