અમરેલી

વડીયા મામલતદાર કચેરી ખાતે તા.૨૯ તથા ૩૦મી નવેમ્બરના મતદારો માટે SIRની કામગીરી સંદર્ભે ખાસ કેમ્પ યોજાશે

ભારતના ચૂંટણી પંચનવી દિલ્હી દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીઅમરેલીના માર્ગદર્શન તળે વડીયા તાલુકામાં “મામલતદાર કચેરી વડીયા” ખાતે તા.૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી તા.૩૦-૧૧-૨૦૨૫ બપોરે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખાસ કેમ્પમાં વડીયા તાલુકાના તમામ મતદારો જોગ જણાવવામાં આવ્યું છે કેમતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોયઅથવા ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ(EF) ભરવાસને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે માતા-પિતા-દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા અંગે કામગીરી કરવામાં આવનાર છે. જેથી તમામ મતદારોએ આ કેમ્પનો લાભ લેવા મતદાર ઓળખપત્ર(ચૂંટણીકાર્ડ નકલ) સાથે રૂબરૂ હાજર રહેવા મદદનીશ મતદાર નોંઘણી અધિકારી-વ-મામલતદારશ્રી વડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

તાલુકાના તમામ મતદારો માટે મામલતદાર કચેરીવડીયા ખાતે મતદારયાદી શાખા,પહેલા માળ ખાતે જરૂરી માર્ગદર્શન આપવા અંગે કામગીરી કરવામાં આવનાર છેતેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts