સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી ૧૧ જૂનના રોજ નીકાળવામાં આવશે.
રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા આગામી ૧૧ જૂનની સવારે ૮ વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાક, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
શહેરમાં સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ ખાતે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં ૧૦૮ કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. જ્યારે ભગવાનનો ભવ્ય જળાભિષેક કર્યા બાદ ભગવાનને ગજવેશ પહેરવામાં આવશે. અંતે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી ત્રણેય મામાને ઘરે જશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા પહેલા ૧૧ જૂને યોજાશે જળયાત્રા

Recent Comments