અમરેલી

સુજલામ સુફલામ યોજનાના ઠરાવ મુજબ તળાવના ખોદાણ કામથી મળતી માટી આસપાસના સરકારી કામોમાં ઉપયોગમાં લેવાયત્યાર રોયલ્ટીમાંથી મુક્તિને પાત્ર, કોંગ્રેસ આગેવાન અજ્ઞાનથી પીડિત

અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસનો વેગ પકડાયો છે ત્યારે નરી આંખે વિકાસને જોઈ ન શકતા કોંગ્રેસના આગેવાનોના પેટમાં
તેલ રેડાય એ સમજી શકાય તેવું છે. લાલાવદર ગામના આગેવાન ઉપસરપંચ એવા શ્રી ચેતનભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, થોડા
દિવસો પહેલા લાલાવદર ગામને બદનામ કરવાનો મનસૂબો કોંગ્રેસના તાલુકા આગેવાન દ્વારા ઘડવામાં આવ્યો હતો. ખોટેખોટી
અરજીઓ અને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવીને ફિસયારી મારતા આ આગેવાને પોતાની અજ્ઞાનતાનો નમૂનો પ્રદર્શિત કરતાં
લાલાવદર ગામમાં સુજલામ સુફલામ યોજનાની કામગીરી પર પ્રશ્ન કર્યા હતાં. પરંતુ તેઓ એ બાબતથી સંપુર્ણ અજાણ હતાં કે,
સુજલામ સુફલામ યોજના અંતર્ગત લાલાવદરમાં 100 ટકા સિવાય 60/40 ટકાની કોઈ કામગીરી થયેલી નથી અને કોઈપણ પ્રકારનું
સરકારશ્રી દ્વારા 60/40 ટકાનું પેમેન્ટ થયેલું નથી. પાયાવિહોણા આક્ષેપ કરીને લાલાવદર ગામને બદનામ કરવાનું પાપ કર્યું છે.
છેલ્લા વર્ષોમાં લાલાવદર ગામમાં આંતરાષ્ટ્રીય રમતવીરોને પ્લેટફોર્મ મળે એવું સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ રહ્યું છે. બીજા અન્ય વિકાસના
કામો નિર્માણ પામી રહ્યાં છે અને ગામમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે ગ્રામ પંચાયત કાર્યરત છે. કોંગ્રેસ તાલુકા આગેવાને જે પ્રશ્નો
ઊભા કર્યા હતાં તેનો સ્પષ્ટ જવાબ સરકારશ્રીના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં
આવ્યું છે કે લાલાવદર ગામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થેયલી નથી.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ અમરેલી જીલ્લાના તળાવ તથા ચેકડેમની ઉંડા કરવાનું આયોજન સરકારશ્રીના
સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં અમરેલી તાલુકાના લાલાવદર ગામે વી.ટી.માટે એસ.પી ઇન્ફ્રા. અમદાવાદ દ્વારા
અમરેલી ખીજડીયા રેલ્વે ટ્રેકના કામ માટે સરકારશ્રીના ૧૦૦% સ્વખર્ચે યોજનામાં માટી લેવા જરૂરી દસ્તાવેજો સાથે રજૂઆત
આવેલ તથા સદભાવના ફાઉન્ડેશન દ્વારા માટી ખેડૂતોના હિત માટે પોતાના ખેતરમાં નાખવા ૬૦/૪૦% યોજના હેઠળ રજૂઆત
આવેલ.
અમરેલી ખીજડીયા રેલ્વે લાઈનના કામમાં કરવામાં આવેલ એગ્રીમેન્ટની શરતોને આધિન માટી કામ માટે મંજૂરી આપવામાં
આવેલ હતી તથા સદભાવન ફાઉન્ડેશન દ્વારા કમોસમી વરસાદને ધ્યાને લઈ માટી ઉપાડવાની સંપૂર્ણ કામગીરી સ્થગિત કરેલ જે
પૈકી તેઓને કોઈ ચૂકવણું કરેલ નથી તેમજ ખેડૂતો દ્વારા કોઈ માટી નાખવામાં આવેલ નથી. આમ, કુલ ૧.૭૦ લાખ ચો.મી ક્ષેત્રફળ
ધરાવતું લાલાવદર વી.ટી પૈકી સંપૂર્ણ તળાવ ફરતે પાળાની ટો લાઈન થી દૂર તાંત્રિક મંજૂરી અપાયેલ હોય તેમજ અલગ અલગ બોરો
એરિયામાં મંજૂરી અપાયેલ હોય, જાણી જોઈને સુજલામ સુફલામ હેઠળ લાભ લેવા માંગતા લાલાવદરના ખેડૂતોને બદનામ કરવા
તેમજ રેલ્વેના કોન્ટ્રાકટરને પ્રેસમાં નેગેટિવ રીતે પ્રસ્થાપિત કરીને કટકી કરવામાં બદઈરાદા સાથે પોતાને બધી ખબર પડતી હોય તેમ
પ્રેસના માધ્યમથી શેખી મારતા અને પોતાની વાહવાહી થકી બની બેઠેલા નેતા ખુદ સરકારના ઠરાવ તથા નિયમોથી અજાણ હોય અહીં
કોણ કોને સમજાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.

Related Posts