કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત તા.૨૭ જૂન, ૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના જાળિયા મુકામે આવેલી પ્રાથમિક શાળામાં અધિક વિકાસ કમિશ્નર શ્રી. આર.વી. વાળાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે અધિક વિકાસ કમિશ્નરશ્રીએ આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ ૦૧માં પ્રવેશપાત્ર બાળકોને તેમના હસ્તે કીટ આપી બાળકોની શિક્ષણયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ૧૮ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક વિકાસ કમિશ્નરશ્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસનું મહત્વ સમજાવવા પ્રેરક ઉદ્ધોધન કર્યુ હતું.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET), જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, બાલાચડી સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા, જ્ઞાન સાધના સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અને ઉત્તિર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન
તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના વિકાસમાં યોગદાન આપનારા દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અગ્રણી સર્વ શ્રી કાળુભાઈ રામાણી, શ્રી સુરેશભાઈ સુખડિયા, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, દાતાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments