ભાવનગર

ધોરણ-૧૦ અને ૧૨ની NIOS દ્વારા લેવાતી પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથીજરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન દ્વારા સેકન્ડરી(ધોરણ-૧૦) અને સીનીયર સેકેન્ડરી(ધોરણ-૧૨) ની
પરીક્ષાઓ શાંતિલાલ શાહ હાઇસ્કુલ, હલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ભાવનગર ખાતે તા.૧૪/૧૦/૨૦૨૫ થી
તા.૧૮/૧૦/૨૦૨૫ સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી,
શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં
અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ
જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) મુજબ મળેલ સત્તાની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આગામી તા.૧૫/૧૦/૨૦૨૫ થી તા.૧૮/૧૦/૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય
મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન દ્વારા લેવાનાર પરીક્ષા દરમિયાન ઉપરોક્ત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા કેન્દ્રની ૧૦૦
મીટરની ત્રિજયામાં આવેલ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા
અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય
ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર, ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા
થવા પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના
ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts