અમરેલી

અમરેલી આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરુ

અમરેલી સ્થિત આદર્શ નિવાસી શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ધોરણ ૯ તથા ધો.૧૦ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ છે. આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯ તથા ધો.૧૦માં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવે છે.

તેમને રહેવા – જમવા ઉપરાંત સ્ટેશનરી, તેલ, સાબુ, બુટ-મોજા વગેરે સુવિધા સાથે વિનામૂલ્યે પ્રવેશ સુવિધા ઉપલબ્ધ છે. આ શાળામાં પ્રવેશ માટે તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે,  વિદ્યાર્થીનું આધારકાર્ડ, જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ), વાર્ષિક પરીક્ષાની માર્કશીટ (૫૦ ટકાથી વધુ), શાળા છોડ્યાનો દાખલો (એલ.સી.), બેન્ક પાસ બુકની નકલ, વિધવા/ત્યકતા/અનાથનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો અપલોડ કરવા. 

પ્રવેશ મળ્યેથી ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ સાથે ઉક્ત પ્રમાણપત્રો ચકાસણી માટે અસલમાં તથા દરેકની ઝેરોક્ષ કોપી સાથે શાળામાં જમા કરાવવા, તેમ અમરેલી આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts