ગુજરાત

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ વધુ એકની અટકાયત કરી

કિરણસિંહ પ્રદેશ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મ્ઢ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક મહિનાથી ફરાર હતો તેને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની દવાડા નજીક ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે. કિરણસિંહ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે. આ સંબંધોને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહેસાણામાં એક મહિના સુધી ફરાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ગઈકાલે મહેસાણામાં ફાર્મ હાઉસમાંથી ઝ્રૈંડ્ઢ ક્રાઈમે દબોચ્યો હતો. તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. કિરણસિંહ પ્રદેશ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. હવે આ પોન્ઝી સ્કીમ મામલે કૌભાંડમાં તે સામેલ છે કે નહીં તે દિશામાં વધુ પૂછપરછ કરાશે. હાલમાં કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે કિરણસિંહ ચૌહાણ પોતાના મામાને આદર્શ માને છે. હાલ સીઆઈડી પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણીની આશંકાને આધારે ઊંડી તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલા પર આરોપ હતો કે તેણે મોટી ચીટિંગ અને નાણાંકીય કૌભાંડ કર્યું છે. પ્રાથમિક તપાસમાં આના અંતર્ગત પત્તા પડતાં આની સંલગ્નતા ૯૫ કરોડ રૂપિયાની રકમની છે, જે લોકો પર બાકી છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમ હવે ભોગ બનનાર લોકોને તેમના નાણા પાછા આપવા માટે કામ કરશે. આ સંજાેગોમાં, મ્ઢ ફાઇનાન્સ સર્વિસના ચીટિંગ બાબતે તેમની ફરિયાદ કરી છે, અને તે સંલગ્ન રહી શકે છે. લોકો સાથે કરોડોનું ફુલેકી ફેરવીને ફરાર થચો હતો. ઝ્રૈંડ્ઢની તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહની ૪ કંપનીઓમાં લોકોએ ૩૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વળતર આપવાનું લોભામણું લાલચ આપી લોકોને છેતર્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા પર કાર્યવાહી ચાલુ છે અને તેની ધરપકડ સાથે, તેના ભાઈને પણ પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે. આરોપીને આશરો આપનારા ફાર્મ હાઉસની પણ તપાસ થશે. ઝ્રૈંડ્ઢ હવે ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી રહી છે, જ્યાં ઝાલાને આશરો મળ્યો હતો. આ કૌભાંડ ૨૦૨૦ થી ચાલુ હતું અને યોગ્ય પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts