મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભૂતપૂર્વ વડા પ્ધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા બદલ ટીકા કરી હતી કારણ કે તે સમયે તેમણે “જૂતા પહેર્યા” હતા. ભાજપના નેતાએ રાહુલ ગાંધીની ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના દાદીને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના જૂતા ન ઉતારવા બદલ ટીકા કરી હતી.
મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાત દરમિયાન, કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતાએ રાજ્ય પક્ષના મુખ્યાલયની સામે સ્થિત ઇન્દિરા ગાંધીની આદમ કદની પ્રતિમાની મુલાકાત લીધી.
ઓનલાઈન શેર કરાયેલા કાર્યક્રમની તસવીરો અને વીડિયોમાં, રાહુલ ગાંધી જૂતા પહેરીને તેમની દાદીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા જાેવા મળ્યા હોવાનું કહેવાય છે.
“વિરોધ પક્ષના નેતા આપણા રાજ્યમાં આવ્યા છે. તેમણે આવવું જાેઈએ. આ લોકશાહી છે. દરેકને આવવાનો અધિકાર છે. તેમણે તેમના દાદીજી (દાદી) ને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જૂતા ઉતાર્યા નહીં. આ મને શોભતું નહોતું. આ આપણા સંસ્કાર (સંસ્કૃતિ) ની વિરુદ્ધ છે. તેમણે આનું ધ્યાન રાખવું જાેઈએ,” રાહુલ ગાંધીના વીડિયોના જવાબમાં સીએમ યાદવે કહ્યું.
“આપણે બધા આપણી સંસ્કૃતિ પ્રત્યે થોડા સંવેદનશીલ છીએ અને દરેકને લાગણી થાય છે. પરંતુ કોઈ વાંધો નથી, તેઓ આપણા રાજ્યમાં આવ્યા હતા અને લોકશાહી પ્રણાલીમાં તમામ પક્ષોના લોકોએ અહીં પોતાનું કામ કરવા આવવું જાેઈએ,” એમપીના મુખ્યમંત્રીએ ઉમેર્યું.
રાહુલ ગાંધી ભોપાલની બે દિવસની મુલાકાતે છે. રાજ્યમાં આ સમય દરમિયાન, ગાંધી ઘણી સભાઓમાં ભાગ લેશે.
કોંગ્રેસના નેતા કોંગ્રેસ ‘સંગઠન સૃજન અભિયાન‘ (સંગઠન કાયાકલ્પ અભિયાન)નું ઉદ્ઘાટન કરવાના હતા, જેનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાનો છે.
રાહુલ ગાંધીની રાજ્યની મુલાકાત મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આવી રહી છે, જે ૨૦૨૮ માં યોજાવાની છે.
Recent Comments