રાષ્ટ્રીય

યુપી ના સહારનપુરમાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ, ૨ પાયલોટ સુરક્ષિત

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં ચિલકાણા પોલીસ સ્ટેશન વિસ્તારના યમુના નદી કિનારે આવેલા ગામમાં રૂટિન વાયુ અભ્યાસ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જાેકે, બંને પાયલોટ સુરક્ષિત છે. ઇમરજન્સી લેન્ડિંગની માહિતી મળતાં જ વાયુસેના અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા.
એસપી ગ્રામીણ સાગર જૈને આ ઘટના મામલે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. બંને પાયલટો પણ સુરક્ષિત છે. પરંતુ હેલિકોપ્ટરે સરસાવણથી કે અંબાલા વાયુસેના સ્ટેશન એ બેમાંથી ક્યાંથી ઉડાન ભરી હતી તેની હજુ સુધી જાણ થઈ નથી.

Related Posts