અમરેલી

અમરેલી જિલ્લા બાબરા સમાજ પરિચય મેળો યોજાયો ૧૪૦ યુવક યુવતી એ ભાગ લીધો

અમરેલી જિલ્લાની બાબર સમાજ પરિચય મેળા કમિટીની આગેવાની હેઠળ, યુવક-યુવતી પરિચય મેળો નું ભવ્ય આયોજન અમરેલી શહેર ખાતે કરવામાં આવ્યું.આ પરિચય મેળામાં કુલ ૧૪૦ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં  માનનીય સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય જે વી કાકડીયા જનકભાઈ તળાવિયા તથા ૧૧૦૦ જેટલી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ. લાઠી ખેર પરીવાર દ્વારા દીકરા /દીકરી અને સ્વયમ સેવક બહેનો ને મુખવાસ દાની આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આવો કાર્યક્રમ સમાજના યુવા પેઢી માટે એક મજબૂત પ્લેટફોર્મરૂપ સાબિત થાય છે, જેના માધ્યમથી સુપાત્ર યુવક-યુવતીઓને સારો જીવનસાથી પસંદ કરવા એક સુંદર તક મળે છે ૪૦ થી ૪૭ ડિગ્રી તાપમાન હોવા છતાં આયોજક ટીમ દ્વારા સભા મંડપમાં સતત ઠંડી હવા પ્રસરાવે તેવા કુલરની ખૂબ સારી વ્યવસ્થા કરેલ. બેસવા માટે સુંદર વ્યવસ્થા, વિશાળ સ્ટેજ, LAD સ્ક્રીન, ઉમેદવારોને પરિચય આપવા માટે અલગ અલગ બે પરિચય સેલ્ફી પોઇન્ટ, જમવાની તેમજ દરેક પ્રકારની સુવિધાઓ ધ્યાન માં રાખી માઇક્રો પ્લાનિંગ દ્વારા સફળ આયોજન નો શ્રેય અમરેલી જિલ્લા બાબત સમાજ પરિચય મેળા કમિટીને દેતા ગૌરવ અનુભવીએ છીએ. બે મહિના પૂર્વની તૈયારીમાં જિલ્લા તાલુકા તથા ગ્રામ્ય લેવલે જમીન પર ડોર ટુ ડોર તથા સામાજિક મીટીંગો ગોઠવી ક્ષતિજનોને કાર્યક્રમ સુધી લાવવાં પ્રમુખશ્રી તથા કમિટી મેમ્બર્સ દ્વારા ખૂબ જહેમદ ઉઠાવી હતી.પરિચય મેળાના ભવ્ય આયોજનના પ્રણેતા બનવા બદલ શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા સમાજનું શ્રેષ્ઠ સન્માન જ્ઞાતિ ગૌરવ સન્માન પરિચય મેળા પ્રમુખશ્રી કલ્પેશભાઈ ખેર તથા કમિટીના સભ્યોને દ્વારા સ્વીકારવામાં આવેલ તે આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. ભવ્ય આયોજનને સફળ બનાવવા અમરેલી જિલ્લા બાબર સમાજ પરિચય મેળા ના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ખેર, હરેશભાઈ ભેડા, દિનેશભાઈ સરવૈયા, પ્રકાશભાઈ ખેર, ગીરીશભાઈ સરવૈયા, કાળુભાઈ ઝાલા, અશોકભાઈ વાળા, અશ્વિનભાઈ ગરથરીયા, વિશાલભાઈ સોલંકી, સંજયભાઈ ખેર, અશ્વિનભાઈ સરવૈયા, મગનભાઈ દવેરા, મહેશભાઈ પરમાર, સંજયભાઈ ગઢાદરા, વિશાલભાઈ ખેર, તુષારભાઈ રાઠોડ, ગોબરભાઈ ઝાલા, ચિરાગભાઈ પરમાર, પ્રેમજીભાઈ ગોલતર, બાબુભાઈ વાઢેર, દિવ્યકાન્તભાઈ કોટડીયા, રાજુભાઈ ભટ્ટી તથા યુવા ટીમ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલ તથા સિનિયર સલાહકાર કમિટી અમરેલી શહેર પ્રમુખશ્રી ભનુભાઈ જેઠવા, વિનુભાઈ સરવૈયા, વિનુભાઈ ચૌહાણ, દુર્લભજીભાઈ ખેર, જયમલભાઈ સોલંકી, ધીરુભાઈ ખેર, નવલભાઇ ખેર, ધનજીભાઈ સોલંકી, કિશોરભાઈ ગઢાદરા, ભીખુભાઈ ભેડા, શાંતિભાઈ કંડોળીયા, જગદીશભાઈ ખેર, શરૂઆતથી કાર્યક્રમના અંત સુધી સતત માર્ગદર્શન દ્વારા કાર્યક્રમ ઉજળો બનાવવા પાછળ તમામ સમાજના આગેવાનો નુ મોટુ યોગદાન છે કાર્યક્રમને સંપૂર્ણ રીતે સંચાલન કરવા માટે ત્રિલોકભાઈ કંડોળીયા ‘ખાખી’, મનિષાબેન ચૌહાણ જુનાગઢ તથા ગીરીશભાઈ સરવૈયા દ્વારા ખુબ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં બાબર સમાજ ના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts