અમરેલી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના ગુનામાંફરાર આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૫૦૦૩૩/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાનો આરોપી છેલ્લા બે માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, મજકુર ફરાર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી
આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિવેક ઉર્ફે વીકી મનસુખભાઇ પરમાર, ઉ.વ.૨૪, રહે.રીકડીયા, તા.જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.
કોલાદરા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્‍સ.મહેશભાઇ મુંઘવા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts