fbpx
અમરેલી

લીલીયાનાં ઈંગોરાળા ગામની મુસ્‍લિમ વિદ્યાર્થીનીએ સંસ્‍કૃત વિભાગમાં પીએચડી કર્યું

ગુજરાત યુનિવર્સિટીએ માન્‍યતા આપતા હરખની હેલી સંસ્‍કૃત એ કોઈ ધર્મ, સંપ્રદાય કે વિશેષ વર્ગની ભાષા નથી એ સાબિત થયું

ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીના સંસ્‍કૃત વિષયમાંની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીના સંસ્‍કૃત વિભાગમાંથી વિદ્યાર્થીની કુરેશી સલમાબેન કેશુભાઈએ એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્‍કૃતનું મહત્‍વ ઘટતું જાય છે. ત્‍યારે બીજી તરફ સંસ્‍કૃતનું મહત્‍વ સમજીને અમરેલીની મુસ્‍લિમ વિદ્યાર્થીનીએ સંસ્‍કૃત વિષયને જીવનનું મહત્‍વપૂર્ણ કાર્ય સમજીને સંસ્‍કૃતમાં સુધીના અભ્‍યાસ કરવાનું પસંદ કર્યું. લીલીયા તાલુકાના   ઈંગોરાળા ગામની સામાન્‍ય પરિવારમાં જન્‍મેલી સલમાએ સંસ્‍કૃતમાં રહેલા જ્ઞાનને પ્રાધાન્‍ય આપીને તેના સઘન અભ્‍યાસ માટે ગામ છોડીને સમરસહોસ્‍ટેલમાં રહીને વિજ્ઞાન ભાષા સંસ્‍કૃતમાં અઘ્‍યયન કરવાનું પસંદ કર્યું. તાજેતરમાં જ પદ્મભૂષણ ડો. કસ્‍તુરી રંગનની અઘ્‍યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિમાં રર વખત સંસ્‍કૃતનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. આ રાષ્‍ટ્રીય નીતિના ડ્રાફટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્‍વનું સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્‍યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે. જો આ સમયમાં પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પઘ્‍ધતિ લાગુ કરવામાં આવે તો ભારતમાં કેવા કેવા પરિવર્તનો આવી શકે છે તેના તારણો પ્રકાશિત કર્યા છે. કુરેશી સલમા દ્વારા સંશોધિત પૌરાણિક શિક્ષણના તથ્‍યોને ભારત સરકારની રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિને વધારે ઉપકાર સાબિત થશે. વર્તમાન સમયમાં અને આવનાર પેઢીને આપણા મહર્ષિઓ દ્વારા સંશોધિત અને પ્રસ્‍થાપિત કરેલા સિઘ્‍ધાંતો કેવી રીતે ઉપકારક સાબિત થઈ શકે તેવું શ્રેષ્ઠ કાર્ય કુરેશી સલમાએ કર્યું છે. આ કાર્ય દ્વારા સાચા અર્થમાં કેળવણી અને ઘડતર તરફ એક દિશા નિર્દેશ મળી રહેશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી. આ સંશોધન ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે. આજે સૌથી મોટી એ ભ્રમણાઉભી થઈ ગઈ છે કે સંસ્‍કૃત ફકત બ્રાહ્મણોની જ ભાષા છે. આ ભ્રમણા રાષ્‍ટ્ર વિરોધી તત્‍વો દ્વારા ઉભું કરવામાં આવેલું એક સમજી વિચારેલું યોજના પૂર્વકનું ષડયંત્ર છે. સંસ્‍કૃત કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ વિશેષ વર્ગની ભાષા નથી. સંસ્‍કૃત પ્રાચીન સમયમાં સૌની હતી અને આજે પણ સંસ્‍કૃત ભાષા સૌની છે. એ મુસ્‍લિમ વિદ્યાર્થીની કુરેશી સલમાએ સંસ્‍કૃત માઘ્‍યમમાં ર.ઢ. કરીને સાબિત કરી બતાવ્‍યું છે. આજના યુવાનો ફરીથી સંસ્‍કૃત તરફ આકર્ષિત થાય તે માટે કુરેશી સલમા જેવા વિદ્યાર્થીઓએ એ પણ સાબિત કરી બતાવ્‍યું છે કે આજે પણ સંસ્‍કૃતની ઉપયોગીતા એટલી જ છે જે યુગો પહેલા હતી. ગુજરાત યુનિવર્સિટી આવા અનોખા અને મહત્‍વપૂર્ણ કામ માટે હંમેશા અગ્રેસર રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તત્‍કાલીન ગૃહપ્રધાન રાજનાથસિંહ દ્વારા ર018માં સેન્‍ટર ફોર સ્‍પોકન સંસ્‍કૃતની સ્‍થાપના કરવામાં આવી છે. સંસ્‍કૃત વિકાસના આ જ ક્રમમાં આ વર્ષે પ્રવર્તમાન કુલપતિ પ્રો. હિમાંશુ પંડયાએ મહર્ષિ પાણિનિ સંસ્‍કૃત સંવર્ધન કેન્‍દ્રની સ્‍થાપના કરી છે. ગુજરાત જ નહીં દેશમાં ગુજરાત યુનિવર્સિટી સંસ્‍કૃત સેવા માટે અગ્રેસર રહી છે તેમાં શંકાને સ્‍થાન નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/