સાહિત્ય સંસ્કારનું સર્જન કરે , સંઘાણી સમાજ સેવાના સર્જક NCUI ના ચેરમેન પદભાર સંભાળતા લોક સાહિત્ય સેતુ દ્વારા દિલીપ સંઘાણીનું સન્માન
![](https://citywatchnews.com/wp-content/uploads/2020/12/WhatsApp-Image-2020-12-10-at-5.45.29-PM-1-960x620.jpeg)
સાહિત્ય સંસ્કારોનું સર્જન કરે છે તેવી જ રીતે સમાજ સેવાના કાર્યમાં સદા તત્પર હોય છે તેમ આજે NCUI ના ચેરમને પદ પર બિરાજમાન દિલીપ સંઘાણીને સન્માનીત કરતા લોક સાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી , ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયા , મહામંત્રી ગોરધનભાઈ સુરાણી , ખજાનચી હસુભાઈજોષી , કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ શુકલ , સોનલબેન ત્રિવેદી , બિનાબેન શુકલ જણાવેલ હતુ સન્માન વેળા જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા , કેળવણીકાર બિપીનભાઈ જોષી ઉપસ્થિત રહયા હતા . સંઘાણી માત્ર સહકારી આગેવાન જ નહી પણ ગુજરાતની શ્રેષ્ઠ સહકારી પ્રવૃતિને હવે સમગ્ર દેશની અંદર પાથરતુ જીલ્લાનું ગૌરવ કહી શકાય તેમને આજના તકે સન્માનીત કરતા અમો આનંદની લાગણી અનુભવી રહયા છીએ તેમ લોક સાહિત્ય અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે .
Recent Comments