કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજીની સાવરકુંડલા તેમજ અમરેલી ખાતે ચુંટણી સભાને સંબોધી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/IMG-20210218-WA0107-960x620.jpg)
કોંગ્રેસ અને ગાંધી પરીવાર પર આકરા પ્રહારો કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓના અપમાન બાબતે જડબા તોડ જવાબ આપતા ઈરાનીજીપ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાળા , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીકભાઈ વેકરીયા , પૂર્વ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા , પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણી , સહીત જિલ્લાનાં પદાધિકારીઓ , ઈન્ચાર્જશ્રીઓ , ઉમેદારવાશ્રીઓ , સાવરકુંડલા અને અમરેલી શહેર ભાજપ નાં હોદેદારશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ સહીત બહોળી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહયા . રાષ્ટ્રભકિત અને લોકકલ્યાણ ભારતીય જનતા પક્ષનો મુળમંત્ર રહયો છે . હાલ આગામી સમયમાં ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે અગાઉ થી ભાજપનાં ઉમેદવારોને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે જે દર્શાવે છે કે , ભાજપનાં ઉમેદવારોની જિત નકિક છે તેવા સંકેતો આપે છે . કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીજીએ અમરેલી નગરપાલીકા અને સાવરકુંડલા નગરપાલીકાની ચુંટણીલક્ષી પ્રચાર પ્રસાર તેમજ જાહેર સભાને સંબોધી હતી . આ તકે પ્રદેશ ભાજપના મંત્રી મહેશભાઈ કસવાળાએ પણ સભાને સંબોધન કરેલ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને સુખાકારી કેવરીતે આપી શકાય અને કઈ રીતે લોક ઉપયોગી થઈ શકે તેમજ ભુતકાળમાં સાવરકુંડલા એ જે તકલીફો સહન કરી છે તેની આછેરી ઝલક આપેલ તથા સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા સાવરકુંડલા અને અમરેલી નગરપાલીકાને જંગી બહુમતીથી જિતડવા માટે આહવાન કરેલ . આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા , પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વીરાણી , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીનેશભાઈ પોપટ , ડો.ભરતભાઈ કાનાબાર , હીરેનભાઈ હીરપરા , અમરેલી નગરપાલીકાના ઈન્ચાર્જ મુકેશભા સંઘાણી , જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ , ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા , જિલ્લા સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી સહીત જિલ્લાનાં પદાધિકારીઓ , ઈન્ચાર્જશ્રીઓ , ઉમેદારવાશ્રીઓ , સાવરકુંડલા અને અમરેલી શહેર ભાજપ ના હોદેદારશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ સહીત બહોળી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહયા .
Recent Comments