ખેડુતોની આથિઁક બરબાદી કરવામા માહિર ભાજપા સરકારનો ક્રુર ખેલ :વિરજીભાઇ ઠુંમર
✔️ ૭ એપ્રિલે ૨૦૨૧ ના રોજ રાસાયણિક ખાતરોમા ભાવ વધારો થયો….
✔️ ૯ મી એપ્રિલે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવિયાએ ભાવ વધારો પરત ખેચાયાનુ આશ્વાસન આપ્યુ. અને
✔️ ૧ મે ૨૦૨૧ ના રોજ છાના પગલે આ ભાવ વધારો લાગુ પણ પાડી દીધો. આ અંગે હમણાં જ મેં એક નિવેદનમાં જણાવ્યું હતું કોંગ્રેસ ખોટો પ્રચાર કરે છે તેવા ભાષણો તેમજ પ્રેસ નિવેદન કરી આપે ખેડૂતોને સાંત્વન આપ્યું હતું હવે જૂના ભાવે ખાતર આપો શ્રી ઠુંમર
રાસાયણિક ખાતરમા ૫૦ થી ૬૦ % જેટલો કરમતોડ ભાવ વધારા બાબતે ભાજપા સરકાર કે મંત્રીઓ એક શબ્દ બોલવા તૈયાર નથી.. કેમ મંત્રીઓ ગુંગા થયા છે ખેડૂતના હિતમાં બોલવા તૈયાર નથી ક્યાં છે ખેડૂતોના હિતેચ્છુ બધા ખેડુતોના વિશાળ હિતમા અને ભવિષ્ય માટે આ ભાવ વધારો પરત ખેંચાય અને કોઇપણ પ્રકારનો ભાવ વધારો કરવામા ન આવે..
DAP ની થેલીના ૧૨૦૦/- ના સીધા ૧૯૦૦/-
NPK ની થેલીના ૧૧૮૫/- ના સીધા ૧૮૦૦/-
ASP ની થોલીના ૯૭૫/- ના સીધા ૧૩૫૦/-
રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ગુજરાતના ૫૪ લાખ ખેડુતો ઉપર ૧૪૦૦ કરોડનો બોજો પડશે અને જે ગુજરાતની ખેડુત અને ખેતીને પાયમાલ કરી નાખશે… તેમ શ્રી ઠુમ્મરે અંતમાં જણાવ્યું હતું
Recent Comments