અમરેલી થતા ગુજરાતમાં કોરોનાની સારવારમાં નિષ્ફળ ગયેલ સરકાર સામે અમરેલી સિવિલના ગ્રાઉન્ડમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ધારાસભ્ય અમરીશભાઈ ડેર તથા યુથ કૉંગ્રેસના લોકોએ ધરણા કર્યા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણધડ વહીવટ – સંકલનનો અભાવ અને ખોટી નિતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ગુજરાતમાં હાલમાં પણ સ્થિતિ ખુબ જ ગંભીર છે. પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી અમિત ચાવડાની સુચના અનુસાર લોકોના જીવ બચાવવા માટે સરકાર પા (૧) હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા,(૨) હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરો,(૩) હોસ્પિટલમાં પૂરતા વેન્ટીલેટરની વ્યવસ્થા કરો, (૪) RT PCR ટેસ્ટ માટે કીટ આપો.- ૨૪ કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપો,(૫) રેમડેસિવર તથા અન્ય ઈન્જેકશન અને દવાઓની વ્યવસ્થા કરો,(૬) વેકસીનેશન કાર્યકમ માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરો,(૭) હોસ્પિટલોમાં મેડિકલ – પેરા મેડિકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો તેવી માંગ લઈ આજ રોજ સિવિલ હોસ્પિટલ ના ગ્રાઉન્ડ માં covid19 ની ગાઈડલાઈન મુજબ ધરણા કર્યા હતા જેમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ યુથ કૉંગ્રેસના આગેવાન સંદીપ ધાનાની, હંસાબેન, જનકભાઈ પંડ્યા, હિરેનભાઈ ટીંબાણીયા, રોનકભાઈ ધાનાણી વહેરે હાજર રહ્યા હતા પણ સરકાર વિપક્ષનો અવાજ દબાવવા અને સરકારની નિષ્ફળતા માટે પોલીસ પાસે અટકાયત કરી પોગ્રામ બંધ કરાવી આપે છે તેવી વાત ધારાસભ્ય પ્રતાપ દુધાતે મીડિયાને કહેલી
Recent Comments