એશિયાટિક પ્રાઈડ / ગીર ની શાન સાવજના સ્કલ્પચર ક્ષીત વિક્ષિપ્ત હાલતમાં
સમગ્ર વિશ્વમાં સૌરાષ્ટ્ર નાં ગીર ની એક આગવી ઓળખ એટલે સિંહ ગણાય . આ ગૌરવશાળી પ્રાણીના ફોટાઓ , વિવિધ અદામાં પ્રતિમાઓ અનેક જાહેર સ્થળો ઉપર તેની શાન માં વધારો કરતી જોવા મળે છે . એવીજ રીતે સાવરકુંડલામાં ચારેય દિશામાં પ્રવેશતાં જાહેર માર્ગો ઉપર બનાવવામાં આવેલ ભવ્ય પ્રવેશદ્વાર ઉપર ખૂબજ સુંદર અને પ્રભાવશાળી છટામાં ગીર નાં સિંહોની પ્રતિમાઓ શહેરની શાનમાં વધારો કરતી દ્રશ્યમાન થતી હતી . પરંતુ આજથી એક વર્ષ પહેલા આવેલા વાવાઝોડામાં અમરેલી હાઇવે ઉપર સાવરકુંડલામાં આવેલા ગેટ ઉપરથી આ પ્રતિમાઓ ફેંકાઈ ગઈ છે . આજ દિન સુધી આ ગીર કેસરી ની પ્રતિમાઓ જાહેર રોડ ઉપર છિન્ન ભિન્ન હાલતમાં જોવા મળે છે . જેનાથી રસ્તે અવર જવર કરતાં મુસાફરો ઊંડા નિસાસા નાંખી આ ગૌરવશાળી પ્રાણી નાં અપમાનને જોયા કરે છે . પ્રવેશદ્વાર ઉપર નવી પ્રતિમાઓ ભલે ન મુકાય પરંતુ આ ગીરની શાન નાં અવશેષો નો યોગ્ય નીકાલ કરવાની તાતી જરૂરિયાત છે .
Recent Comments