શાખપુર જાગૃત સરપંચ જશુભાઈ ખુમાણે વિવિધ સમસ્યા ઓમાં સહકાર બદલ મીડિયા જગત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG_20240211_220736.jpg)
દામનગર ના શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા સક્રિય સરપંચ તરીકે જ્યાર થી ચૂંટાઈને આવ્યા ત્યારથી સતત સામાજિક સમસ્યા ઓના મુદ્દે સકારાત્મક રજૂઆતો અને અસરકારક પત્ર વહેવારો માટે ખૂબ જાણીતા છે શિક્ષણ આરોગ્ય પરિવહન કે નાની મોટી સમસ્યા માટે સતત અગ્રેસર રજૂઆતો મીડિયા સુધી પહોંચાડી સુખદ ઉકેલ સુધી પ્રત્યનશીલ રહે છે તાજેતર માં શાખપુર ગામમાં એસ ટી બસો ગમે ત્યારે બંધ થાય તેની સીધી રજૂઆત અને પ્રેસ મીડિયા સમક્ષ અનેક મુદ્દાઓ મૂકેલા છે જેમાં ગારીયાધાર રાજકોટ બસ પણ બંધ હતી જે વર્ષો જૂનો રૂટ હતો તેની પણ તાત્કાલિક રજૂઆત કરીએ અને પ્રેસ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો જે રૂટ રાબેતા મુજબ ફરી શરૂ કરાયો હતો હવે આ રૂટ શરૂ રહેશે તેની ડેપો મેનેજર શ્રી એ ખાત્રી આપી જેથી સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા પ્રેસ મીડિયા પ્રત્યે ખુબ ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરવામાં આવી છે
Recent Comments