અમરેલી

ધારી તાલુકાના અમૃતપુર પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રમાંસંચાલકની આવશ્કયતા – તા.૩૧ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના અમૃતપુર પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા હોય સામાન્ય ઉમેદવારોએ તા.૩૧ ડિસેમ્બર,૨૦૨૪ સુધીમાં અરજી કરવી.સંચાલકને સરકારના નિયમોનુસાર માનદવેતન ચૂકવવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારોની ઓછામાં ઓછી ૨૦ વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ કે તેથી વધુ અથવા ગામમાં ન મળે તો ધો.૭ પાસને તક આપવામાં આવશે.

ધારી તાલુકા મામલતદાર કચેરીમાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન મ.ભો.યો.શાખામાંથી તા.૨૩/૧૨/૨૦૨૪ સુધી વિના મૂલ્યે નિયત નમૂનાનું અરજીપત્રક મેળવી, જરુરી વિગતો ભરીને તે તા.૩૧ ડિસેમ્બર,૨૦૨૪ સુધીમાં પહોંચાડવું.અરજી, લાયકાત, વય મર્યાદા અને સરકાર દ્વારા ઠરાવવામાં આવેલા ધોરણો ધરાવતા ઉમેદવારોને જ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવી. ગેર લાયક ઠર્યા હોય તેવા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે નહી.અરજી કરવી, રુબરુ મુલાકાત માટે બોલાવવાથી કોઈ ઉમેદવાર આ જગ્યા માટે નિમણુક મેળવવા હક્કદાર બનતા નથી, કોઈ પણ વ્યકિત દાવો કરી શકશે નહી. નિમણુક બાબતની આખરી સત્તા ધારી તાલુકા મામલતદારની રહેશે.અનાજ દળવાની ઘંટી ચલાવતા, વકીલાત શાકભાજી, મરી મસાલા, કે જલાઉ લાકડાનો વેપાર કરતા અન્ય ધંધાર્થી-વેપારી વ્યકિતને નિમણુક આપી શકાશે નહિ, તેમ ધારી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts