વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. વલસાડમાં આજે વહેલી સવારે ૪ઃ૩૫ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૩.૭ની તીવ્રતા સાથે વલસાડથી દૂર ૩૯ કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે. વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જાેવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ૩.૭ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર ૭ ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જાે કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જાેવા મળે છે.
વલસાડમાં ૩.૭ની તીવ્રતા સાથે આવ્યા ભૂકંપના આંચકો અનુભવાયો

Recent Comments