ભાવનગર

દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પરથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પરથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો.સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પરથી થયેલ ક્રોધ સુધારશે તેમ વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા બોધ મળ્યો. તેમણે ધ્રુવ અને પ્રહલાદ ભક્તિ પ્રસંગોનું નિરૂપણ કર્યું.કથા સાથે તત્ત્વ દર્શન સમજાવતાં જણાવાયું કે, અવ્યક્ત ઈશ્વર દ્વારા જ વ્યક્ત થયેલ આ સૃષ્ટિ એટલે કે સંસાર છે. અનિશ્ચિત જીવન મૃત્યુ નિશ્ચિત છે, પણ તેનો સમય અનિશ્ચિત છે, માટે સાવધાન રહેવું અને ઈશ્વર ભક્તિ કરવી.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભાનુભાવોએ પણ લીધો. આજે શ્રી હરિહરાનંદજી સ્વામી, શ્રી લહેરગીરીબાપુ, શ્રી સીતારામબાપુ સહિત સંતો, મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંફ રાજવી પરિવારનાં શ્રી વીરભદ્રસિંહજી ઠાકોર તથા શ્રી કૃષ્ણદેવસિંહજી ઠાકોર સાથે ભાવનગર રાજવી પરિવારનાં શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ જોડાયાં. રાજકીય સામાજિક અગ્રણીઓ શ્રી કિરીટસિંહજી રાણા, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી ધીરુભાઈ શિયાળ, શ્રી રામભાઈ સાંગા, શ્રી પેથાભાઈ આહિર, લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કથા લાભ માટે જોડાયાં.ભાગવત ગાથામાં સુંદર સ્વર અને સંગીત સંયોજન રહ્યું છે. આ સંગીત વૃંદમાં શ્રી બાલકૃષ્ણ વ્યાસ, શ્રી મૂકેશભાઈ રાવળ, શ્રી ઈન્દ્રજિત રાજ્યગુરુ, શ્રી ધર્મેશ નાયક, શ્રી પાર્થ પંડ્યા, શ્રી મદનલાલ સિંહા સાથે શ્રી વિજયપત્ર દ્વારા સુંદર સંયોજન રહ્યું છે.સમગ્ર ઉત્સવ વ્યવસ્થામાં શ્રી જગદીશભાઈ મીર, શ્રી અનિરુધ્ધસિંહ ચુડાસમા, શ્રી શક્તિસિંહ ચુડાસમા, શ્રી ભરતભાઈ રાઠોડ, શ્રી અજયભાઈ રાઠોડ, શ્રી કરશનભાઈ મીર, શ્રી પ્રદીપભાઈ ભટ્ટ વગેરે જોડાયેલાં છે.

Follow Me:

Related Posts